વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થાય તેની રાહ જોવાઈ રહી છે. ત્યાર બાદ રૂપાણી સરકાર અધિકારીઓમાં બદલી કરવાની તૈયારીમાં છે. હાલ સરકારે સચિવાલય અને જિલ્લા સ્તરે DDOથી લઈને IAS સુધીના કલેક્ટર અને શહેર મનપા કમિશનરોની બદલીની યાદી રેડી કરી લીધી છે.
5 વર્ષ સુધીની ફરજ પછી સચિવાલયનું તેડું
કોણ કોણ છે લિસ્ટમાં?
કલેક્ટરને અપાઈ શકે છે સચિવાલયમાં હોદ્દા
ગુજરાત સરકાર સચિવાલય અને જિલ્લા સ્તરે અધિકારીઓની બદલીઓનો ગંજીફો ચીપવાની તૈયારી કરી રહી છે. જિલ્લા કક્ષાએ DDO અને કલેકટર અને શહેરોમાં મ્યુનિસિપલ કમિશનરની બદલીઓની યાદી પૂરજોશમાં તૈયાર થઇ રહી છે તેવા સમાચાર સામે આવ્યા છે.
5 વર્ષ સુધીની ફરજ પછી સચિવાલયનું તેડું
જે કલેકટરે સતત 5 વર્ષ સુધી જિલ્લા સ્તરે ફરજ બજાવી છે તેમને સચિવાલયનું તેડું આવી શકે છે. જે અધિકારીઓ પાંચ વર્ષથી એક જ જિલ્લામાં છે તેમનો બદલીમાં સમાવેશ થયો છે.
કોણ કોણ છે લિસ્ટમાં?
1) શાલિની અગ્રવાલ - વડોદરા કલેકટર
2) રમ્યા મોહન - રાજકોટ કલેકટર
3) રવિ શંકર - જામનગર કલેકટર
4) સંદિપ સાગલે - બનાસકાંઠા કલેકટર
5)ધવલ પટેલ - સુરત કલેકટર
6) H K પટેલ - મહેસાણા કલેકટર
કલેક્ટરને અપાઈ શકે છે સચિવાલયમાં હોદ્દા
જો સરકાર 2005ની બેચના અધિકારીઓને ધ્યાનમાં લઈએ તો શાલિની અગ્રવાલ, H K પટેલ, અમદાવાદ કલેકટર K K નિરાલા, નર્મદા કલેકટર મનોજ કોઠારીને સચિવાલય લેવલના અધિકારીઓ બનાવીને તેમને સચિવાલયના અલગ અલગ ખાતામાં પોસ્ટ કરી શકે છે. આ ઉપરાંત ગાંધીનગર સહિતની 3-4 મહાનગરપાલિકાના કમિશનર અધિકારીઓની બદલી કરવામાં આવી શકે છે તેવી ચર્ચાઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે.