પુલવામામાં થયેલા હુમલા બાદ ગૃહ મંત્રાલય દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સેનાના જવાનોની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલય દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા કશ્મીરમાં સેનાના જવાનોને હવાઈ માર્ગે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દિલ્લી-શ્રીનગર શ્રીનગર-દિલ્લી મુસાફરી હવાઈ માર્ગે કરાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે સેના અને અર્ધ લશ્કરી દળોના જવાનો જમ્મુ-શ્રીનગર અને શ્રીનગર-જમ્મૂ વિસ્તારોમાં હવાઇ માર્ગે મુસાફરી કરાશે.
ઉલ્લેનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મૂ-કાશ્મીરના પુલવામાં આતંકી હુમલો થયો હતો જેમાં આપણા 44 જવાનો શહીદ થયા બાદ સમગ્ર દેશમાં આક્રોશ ભર્યું વાતાવરણ છે. હુમલા બાદ તમામ ભારતીયોમાં પાકિસ્તાનને લઇને આક્રોશ છે. જ્યારે ઘણા દેશ પ્રેમીએએ શહીદ જવાનોના પરિવારને આર્થિક મદદ કરી પોતાની ફરજ પણ અદા કરી છે.