બરવાળા કથિત લઠ્ઠાકાંડ બાદ FSL રિપોર્ટમાં મિથેનોલ અંકુશમુક્ત હોવાથી આ ગોઝારો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.
બરવાળા કથિત લઠ્ઠાકાંડ મુદ્દે મહત્વના સમાચાર
મિથેનોલ અંકુશમુક્ત હોવાથી બન્યો ગોઝારો બનાવ
મિથેનોલની હેરફેર છે અંકુશમુક્ત
બોટાદ કથિત લઠ્ઠાકાંડ -કેમિકલકાંડ 43 લોકોને ભરખી જતાં આખું ગુજરાત હચમચી ગયું છે. 43 લોકોના મોત બાદ ગામે-ગામ સળગતી મૃતકોની ચિતા અને પરિવારજનોના કરુણ રુદનને લઇને ભલભલાના કાળજા કંપી જાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ પોલીસે જપ્ત કરેલા દારૂનો FSL રિપોર્ટ કરાવતા દારૂના નામે લોકોને કેમિકલ પીવડાવી દીધું હોવાનું ખૂલ્યું હતું. નમૂનામાં મીથાઈલ આલ્કોહોલનું પ્રમાણ 98.71 તથા 98.99 આવ્યું હતું. ત્યારે મિથેનોલ અંકુશમુક્ત હોવાથી આ ગોઝારો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. 2009ના લઠ્ઠાકાંડ બાદ પણ હેરફેર ઉપર અંકુશ ન મુકાયો હોવાથી ફરી આવી ઘટના સામે આવી છે.બીજી તરફ નશાબંધી-આબકારી વિભાગમાં 60 ટકા અધિકારીઓની ઘટ હોવાથી આવા તત્વોને મોકળુ મેદાન મળી રહ્યું છે.
રિપોર્ટમાં મીથાઈલ આલ્કોહોલનું પ્રમાણ 98.71 હતું
મહત્વનું છે કે લઠ્ઠાકાંડ બાદ પોલીસે જપ્ત કરેલા દારૂનો FSL રિપોર્ટ આવતા મોટો ખુલાસો થયો હતો કે આરોપીઓએ દારૂના નામે લોકોને કેમિકલ પીવડાવી દીધું હતું. કારણ કે K અને Lના નમૂનામાં મીથાઈલ આલ્કોહોલનું પ્રમાણ 98.71 તથા 98.99 આવ્યું હતું. જ્યારે ઇથાઇલ આલ્કોહોલમાં 0 પ્રમાણ આવ્યુ હતું જે બાદ કેમિકલ કાંડમાં કાવતરું થયું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
2009ના લઠ્ઠાકાંડ બાદ પણ હેરફેર ઉપર નથી મુકાયો અંકુશ
લઠ્ઠાકાંડ બાદ 43લોકોના પરિવારની શું સ્થિતિ છે શું વેદના છે તે જાણી સૌ કોઈના રૂવાડા ઊભા થઈ જશે. સૌથી વધુ 32 મોત બોટાદ જિલ્લામાં થયા છે, અમદાવાદના 11 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. સમગ્ર કેસમાં 15 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે બરવાળા કથિત લઠ્ઠાકાંડ મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં મિથેનોલ અંકુશમુક્ત હોવાથી આ ગોઝારો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. બેરોકટોક મિથેનોલની હેરાફેરી થઇ રહી છે. મહત્વનું છે કે 2009 માં પણ લઠ્ઠાકાંડ થયો હતો છતા પણ મિથેનોલની હેરફરી ઉપર અંકુશ મુકાયો નથી. સસ્તુ સોલવન્ટ હોવાથી મિથેનોલનું પુષ્કળ વેચાણ થઇ રહ્યું છે.
નશાબંધી અને આબકારી ખાતામાં 60 ટકા અધિકારીઓની ઘટ
મહત્વનું છે કે મિથેનોલ સંપૂર્ણ ઝેર છે આ બાબતથી વેપારીઓ જાણકાર હોવા છતાં સસ્તા ભાવને લઈને તેનો વેપાર થઈ રહ્યો છે. બીજી બાજુ નશાબંધી અને આબકારી વિભાગ પાસે કામગીરી માટે અધિકારી ઘટ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. નશાબંધી-આબકારી વિભાગમાં 60 ટકા અધિકારીઓની ઘટ હોવાનું સામે આવ્યું છે.