રિષભ પંતને ક્રિકેટના મેદાન પર આવવામાં ઘણો સમય લાગી શકે છે, એવામાં ઓસ્ટ્રેલિયા સામે ફેબ્રુઆરીમાં યોજાનારી ટેસ્ટ સીરિઝમાં તેના રમવા પર સંકટ ઉભું થયું છે
રિષભ પંતને ક્રિકેટના મેદાન પર આવવામાં ઘણો સમય લાગી શકે છે
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં કોને તક મળી શકે?
વિકેટકીપર પદ માટે આ ત્રણ ખેલાડીઓ વચ્ચે રેસ ચાલી રહી
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર રિષભ પંત શુક્રવારે (30 ડિસેમ્બર)ના રોજ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઉત્તરાખંડમાં પંતની મર્સિડીઝ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ડિવાઈડર સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી હતી અને તે કોઈ રીતે કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. અકસ્માત બાદ પંત દેહરાદૂનની મેક્સ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે.
હાલની એમની સ્થિતિ જોતાં લાગી રહ્યું છે રિષભ પંતને ક્રિકેટના મેદાન પર આવવામાં ઘણો સમય લાગી શકે છે, આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા સામે ફેબ્રુઆરીમાં યોજાનારી ટેસ્ટ સીરિઝમાં તેના રમવા પર સંકટ ઉભું થયું છે અને એ સાથે જ લોકોના મનમાં એવા સવાલો ઉઠયા છે કે રિષભ પંતની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં કોને તક મળી શકે છે. જણાવી દઈએ કે આ રેસમાં ત્રણ નામ મોખરે છે, જેમાં કેએસ ભરત, ઉપેન્દ્ર યાદવ અને ઈશાન કિશનના નામ સામેલ છે.
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાંમાં વિકેટકીપર પદ માટે આ ત્રણ ખેલાડીઓ વચ્ચે રેસ ચાલી રહી છે, જેમાં કેએસ ભરત સૌથી આગળ છે. છેલ્લી કેટલીક સિરીઝમાં કેએસ ભરત બીજા વિકેટકીપર તરીકે ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ થયો છે. જો કે, તેનું ડેબ્યુ થવાનું બાકી છે અને આવી સ્થિતિમાં તે હવે રિષભ પંતનું સ્થાન લઈ શકે છે.
કેએસ ભરત ઉપરાંત ઈન્ડિયા-એના વિકેટકીપર ઉપેન્દ્ર યાદવને પણ તક મળી શકે છે, તેની સાથે ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન પણ રેસમાં છે. સંજુ સેમસન કે ઈશાન કિશને પોતપોતાના રાજ્યો માટે રણજી ટ્રોફીમાં ભાગ લીધો નથી. એવું માનવામાં આવે છે કે માત્ર KS ભરત જ નાગપુર ટેસ્ટમાં ડેબ્યૂ કરી શકે છે પણ તેને ઉપેન્દ્ર યાદવ સામે ટક્કર મળી રહે છે કારણ કે તેની બેટિંગ એવરેજ 45 થી વધુ છે.
આપણે બધા જાણીએ છીએ કે રિષભ પંતને દિલ્હીથી રૂરકી જતી વખતે ખૂબ જ ખરાબ કાર અકસ્માત થયો હતો, હાલમાં તેની સારવાર ચાલી રહી છે. ડોકટરો દ્વારા આપવામાં આવેલા પ્રારંભિક અપડેટ મુજબ રિષભ પંત 2 થી 6 મહિનામાં સ્વસ્થ થઈ શકે છે.