જમૈકા ટેસ્ટમાં પહેલા બોલ પર આઉટ થનાર વિરાટ કોહલીને ટેસ્ટ રેંકિંદમાં એનું પરિણામ ભોગવવું પડ્યું છે. આઇસીસી દ્વારા મંગળનારે જારી ટેસ્ટ રેંકિંગમાં હવે ટીમ ઇન્ડિયાના કેપ્ટન બેટ્સમેનની રેંકિંગમાં બીજા સ્થાન પર જતો રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે ટેસ્ટ રેંકિંગમાં પહેલા સ્થાન પર વાપસી કરી છે. સ્મિથના હવે રેંકિંગમાં 904 અંક છે, જ્યારે 903 અંકોની સાથે વિરાટ કોહલી બીજા સ્થાન પર આવી ગયો છે. વિરાટ દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ પાડતા ભારત માટે કેપ્ટન તરીકે 28મી જીત પ્રાપ્ત કરી હતી. વિદેશમાં ટેસ્ટ જીતના મામલે વિરાટ કોહલી પહેલા જ ધોની અને સૌરવ ગાંગુલીને પાછળ પાડતાં ભારતનો સૌથી સફળ કેપ્ટન બની ગયો છે.
જો કે એવું નથી કે વેસ્ટઇન્ડિઝ પ્રવાસ પર વિરાટ કોહલી માટે બધું યોગ્ય રહ્યું છે. ભલે ભારતીય કેપ્ટન તરીકે કોહલીએ આ પ્રવાસ પર ઘણી ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી છે, પરંતુ બેટ્સમેન તરીકે એનું પ્રદર્શન કંઇ ખાસ રહ્યું નથી. એટલે સુધી કે જમૈકા ટેસ્ટની બીજી ઇનિંનગમાં તો એ ક્રીઝ પર ઉતરતા જ પહેલા બોલ પર આઉટ થઇ ગયો હતો. આ પ્રદર્શન બાદ ટેસ્ટના ઉચ્ચ બેટ્સમેન કોહલી માટે ખરાબ સમાચાર આવ્યા છે. એનાથી વિરાટના પોઇન્ટ્સમાં ઘટાડો થયો અને એશેજમાં ત્રીજી ટેસ્ટ મિસ કરનાર ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેન સ્ટીવ સ્મિથની પાસે વિરાટ કરતાં 1 અંક વધારે થઇ ગયો, જેનાથી એને ઓગસ્ચ 2018 બાદ પહેલા સ્થાન પર વાપસી કરી છે.
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ એની પાસેથી ટેસ્ટનો તાજ છીનવી લીધો છે. આવું એટલા માટે કારણ કે બીજા નંબર પર કબ્જો જમાવનાર રેટિંગ અંક 904 હતો અને બંનેની વચ્ચે અંકોનું અંતર ખૂબ જ ઓછું હતું.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથની ચોથી એસેજ ટેસ્ટ માટે એની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. એવામાં જો સ્મિથ 50 રનની ઇનિંન્ગ પણ રમે છે તો એ વિરાટથી રેટિંગ અંક મામલે આગળ નિકળી જશે. બલ ટેમ્પરિંગના આરોપમાં લાગેલા એક વર્ષના પ્રતિબંધ બાદ વાપસી કરતાં સ્મિથે એઝબેસ્ટનમાં થયેલ પહેલી એશેજ ટેસ્ટની બંને ઇનિંન્ગમાં શાનદાર સેન્ચ્યુરી ફટકારી અને ત્યારબાદ લોર્ડ્સની પહેલી ઇનિંન્ગમાં પણ 92 રનોની સારી ઇનિંન્ગ રમી. જો કે જોફ્રા આર્ચરના બાઉન્સરથી ઘાયલ થયા બાદ સ્મિથ બીજી ઇનિંન્ગમાં બેટિંગ માટે આવ્યો નહીં અને ત્રીજી ટેસ્ટથી પણ બહાર રહ્યો. પરંતુ હવે ચોથી મેચમાં એ પૂરી રીતે તૈયાર છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે બેટ્સમેન તરીકે વેસ્ટઇન્ડિઝ સામે ટેસ્ટ સીરિઝ એટલી ફાયદાકારક રહી નથી. ભારતીય કેપ્ટને આ સીરિઝમાં બે મેચોની ચાર ઇનિંન્ગોમાં માત્ર 136 રન જ બનાવી શક્યો. એ દરમિયાન એની સરેરાશ પણ માત્ર 34 જ રહી.