મુંબઈને ઈસ્લામિક સ્ટેટ કરતા પાકિસ્તાની આતંકી હુમલાથી તૈયાર રહેવાની જરૂર છે. આ નિવેદન મુંબઈના પોલીસ કમિશ્નર સુબોધ જયસ્વાલે આપ્યું છે. મુંબઈના પોલીસ કમિશ્નર સુબોધ જયસ્વાલે કહ્યું કે પાકિસ્તાન ફરી એકવાર 26/11 જેવા આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે.
મુંબઈ હુમલાના 10 વર્ષ બાદ પણ પાકિસ્તાન આવી જ આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બર 2008ના રોજ અજમલ કસાબ સહિત લશ્કર-એ-તૈયબાના કુલ 10 આતંકીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો અને તેમાં 166 લોકોનાં મોત થયા હતા.
સુબોધ જયસ્વાલે કહ્યું કે 10 વર્ષમાં મુંબઈ પોલીસે વ્યવસ્થા પ્રક્રિયા અભ્યાસ અને અન્ય કપરી પરિસ્થિતિ સામે લડવા માટે સિસ્ટમ અપગ્રેડ કરાઈ છે. પાકિસ્તાન આતંકી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદનો ઉપયોગ કરીને ભારત પર આતંકી કરતૂતને અંજામ આપવામાં વ્યસ્ત છે. પાકિસ્તાન હજુ પણ હુમલો કરવાની ફિરાકમાં છે. પરંતુ અમે સિસ્ટમ અપગ્રેડ કરી છે અને લડવા માટે તૈયાર છીએ.