બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / after sukhdev singh gogamedi why shooters shoot his own friend naveen big revelation

મર્ડરના ખુલાસા / ગોગામેડી પછી તરત નવીન શેખાવતને કેમ મારી ગોળીઓ? પકડાયેલા હત્યારાઓએ ખોલી દીધું રહસ્ય

Hiralal

Last Updated: 05:16 PM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ હત્યારાઓએ પોતાના સાથી નવીન શેખાવતને પણ ગોળીઓ મારી દીધી હતી પરંતુ તેની હત્યાનું શું કારણ હતું તેને લઈને હત્યારાઓએ મોટો ખુલાસો કર્યો છે.

  • સુખદેવસિંહ ગોગામેડી પછી નવીન શેખાવતની હત્યાનું ખુલ્યું રહસ્ય
  • હત્યારાઓએ પોલીસ પૂછપરછ આપી સાચી જાણકારી
  • નવીન ડરને કારણે હત્યારાને રોકવાની કરી રહ્યો હતો કોશિશ

સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ હત્યારાઓએ પોતાના સાથી નવીન શેખાવતની પણ હત્યા કરી હતી. સૌથી મોટો સવાલ એ હતો કે હત્યારાએ તેમના જ સાથી નવીનની કેમ હત્યા કરી નાખી હતી હવે હત્યારાઓએ પોલીસ પૂછપરછમાં તેનો ખુલાસો કર્યો છે. 

શા માટે શૂટરોએ પોતાના પાર્ટનરને ગોળી મારી?
બંને શૂટરોએ પોલીસને જણાવ્યું હતું કે, નવીન શેખાવત પણ હત્યાના કાવતરામાં સામેલ હતો. આ ઘટના દરમિયાન નવીન શેખાવતને તેના સાથીઓએ ગોળી મારી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. બદમાશોએ પોલીસને જણાવ્યું હતું કે જ્યારે તેઓ સુખદેવ ગોગામેડી પર ફાયરિંગ કરી રહ્યા હતા, ત્યારે નવીન ડરના કારણે તેમને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બંને શૂટરોએ જણાવ્યું હતું કે તે સમયે કેટલાક સંજોગો ઊભા થયા હતા કે નવીન શેખાવતને ગોળી મારવી પડી હતી. "તમે સીસીટીવીમાં જોઈ શકો છો કે ફાયરિંગ ચાલી રહ્યું હતું ત્યારે નવીન અમને રોકવાનો પ્રયાસ કરે છે.

બંને શૂટરોની ચંદીગઢથી ધરપકડ 
રાજસ્થાન પોલીસ દિલ્હી પોલીસ સાથેની સંયુક્ત કાર્યવાહીમાં ગોગામેડીના બે હત્યારા રોહિત રાઠોડ અને નીતિન ફૌજી નામના બે શખ્સોની ચંદીગઢથી ધરપકડ કરી હતી. નવીન શેખાવત નામની વ્યક્તિ મારફતે બંને આરોપીઓ તેમના ઘરે પહોંચ્યા હતા. હુમલાખોરોએ ભાગતા પહેલા નવીન શેખાવતને પણ ઠાર માર્યો હતો.

રાજસ્થાન રવાના કરાયા આરોપીઓને 
બંને આરોપીઓ ચંદીગઢમાં છુપાયા હોવાની માહિતી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. આ પછી, દિલ્હી પોલીસ હેડક્વાર્ટરના વરિષ્ઠ અધિકારીઓએ તેમને તાત્કાલિક દરોડા માટે રવાના થવા જણાવ્યું હતું. તેઓએ ચંદીગઢના સેક્ટર 22 માં દરોડા પાડ્યા હતા જ્યાંથી બે શૂટરો (રોહિત અને નીતિન) અને ઉધમ નામના તેમના એક સાથીને પકડવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ દ્વારા બંનેની પૂછપરછ કર્યા બાદ તેમને રાજસ્થાન પોલીસને સોંપવામાં આવશે.

નવીન શેખાવતે ગોગામેડીના ઘરની રેકી કરી હતી
બન્ને હત્યારાએ એવું કહ્યું કે નવીન શેખાવત પણ હત્યાના કાવતરામાં સામેલ હતો અને તેણે 1 અઠવાડિયા પહેલા ગોગામેડીના ઘરની રેકી કરી હતી. 

રોહિત-નીતિને ગોગામેડી બાદ નવીનને પણ ગોળી મારી હતી
5 ડિસેમ્બરે જ્યારે રોહિત-નીતિને ઘરમાં ગોગામેડીની હત્યા કરી હતી તે પછી તેમણે નવીન શેખાવતને પણ ગોળીઓથી ઉડાવી દીધો હતો અત્યાર સુધી તો એવું કહેવાતું હતું કે નવીન શેખાવત હત્યાથી અજાણ હતો પરંતુ હવે આરોપીઓ તેની સંડોવણી છતી કરી છે. 

હત્યાના અઠવાડિયા પહેલા જયપુર આવ્યાં હતા 
હત્યાકાંડની તપાસ કરી રહેલા એક અધિકારીએ એવું કહ્યું હતું કે નીતિન ફોજી અને રોહિત રાઠોડ હત્યાના થોડા દિવસ પહેલા જયપુર પહોંચ્યાં હતા અને તેમની પાસે અત્યાધુનિક પિસ્તોલ હતી. પોલીસનું કહેવું છે કે હથિયારો પણ ખરીદી લેવામાં આવ્યાં હતા. 

5 ડિસેમ્બરે જયપુરમાં થઈ હતી ગોગામેડીની હત્યા
ઉલ્લેખનીય છે કે 5 ડિસેમ્બરે જયપુરમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા થઈ હતી. લોરેન્શ બિશ્નોઈ ગેંગના રોહિતસિંહ રાઠોડ અને નીતિન ફોજી નામના ગુનેગારોએ ઘરમાં જઈને સુખદેવ અને નવીન શેખાવત નામના યુવાનની હત્યા કરી હતી.  

સંકળાયેલા મુદ્દાઓ

Sukhdev Singh Gogamedi Sukhdev Singh Gogamedi murder Sukhdev Singh Gogamedi news sukhdev Singh Gogamedi Shot Dead Sukhdev Singh Gogamedi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ