બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / After Sri Lanka, the economy of one more neighboring country is now in shambles

આર્થિક સંકટ / શ્રીલંકા બાદ હવે વધુ એક પાડોશી દેશની અર્થવ્યવસ્થા હાલક ડોલક,વિદેશથી આ વસ્તુઓની આયાત પર પ્રતિબંધ

ParthB

Last Updated: 12:05 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના પાડોશી દેશ નેપાળની આર્થિક સ્થિતિ કથળી રહી છે. આવી સ્થિતીમાં નેપાળની સેન્ટ્રલ બેંકે વાહનો અને કોઈપણ મોંઘી અથવા લક્ઝરી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.

  • પાડોશી દેશ નેપાળની આર્થિક સ્થિતિ કથળી છે
  • નેપાળની સેન્ટ્રલ બેંકે મોટી જાહેરાત કરી છે
  • વાહનો અને કોઈપણ મોંઘા કે વૈભવી સામાનની આયાત પર પ્રતિબંધ

નેપાળની સેન્ટ્રલ બેંકે મોંધી અથવા લક્ઝરી વસ્તુઓની આયત પર પ્રતિબંધ 

નેપાળની સેન્ટ્રલ બેંકે એક મોટી જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેન્કે વાહનો અને કોઈપણ મોંઘી અથવા લક્ઝરી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. વાસ્તવમાં નેપાળમાં રોકડની અછતની સાથે વિદેશી મુદ્રા ભંડારમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે બેંકે આ મોટો નિર્ણય લેવો પડ્યો છે. નેપાળની કેન્દ્રીય બેંક 'નેપાલ રાષ્ટ્ર બેંક' એ ગયા અઠવાડિયે અધિકારીઓ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ સૂચનાઓ જારી કરી હતી.

આયાતમાં વધારો થવાથી અર્થવ્યવસ્થામાં કટોકટીના સંકેતો દેખાઈ રહ્યાં છે

આ જાહેરાત પછી, NRBના પ્રવક્તા ગુણાખર ભટ્ટે કહ્યું, "અમે અર્થવ્યવસ્થામાં કોઈપણ પ્રકારની કટોકટીનાં સંકેતો જોઈ રહ્યા છીએ જેનું મુખ્ય કારણ આયાતમાં વધારો છે." એટલા માટે અમે તે વસ્તુઓની આયાત બંધ કરવાનું વિચારી રહ્યા છીએ જેની તાત્કાલિક જરૂર  નથી.
 
નેપાળની વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઘટાડો 

ઉલ્લેખનીય છે કે, પાડોશી દેશ શ્રીલંકાની જેમ નેપાળની આર્થિક સ્થિતિ પણ કથળી રહી છે. આયાતમાં વધારો, પ્રવાસન અને નિકાસમાંથી આવકનો અભાવ અને ચૂકવણીના પ્રવાહમાં ઘટાડો થવાને કારણે જુલાઈ 2021 થી નેપાળમાં વિદેશી હૂંડિયામણની અનામતો ઘટી રહી છે. સેન્ટ્રલ બેંક દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ફેબ્રુઆરી 2022 સુધીમાં દેશનો કુલ વિદેશી મુદ્રા ભંડાર 17 ટકા ઘટીને $9.75 બિલિયન થઈ ગયો છે.જે જુલાઈ, 2021ના મધ્ય સુધીમાં $11.75 બિલિયન હતું. જો કે નેપાળના નાણામંત્રી જનાર્દન શર્માએ આશ્વાસન આપ્યું હતું કે દેશ શ્રીલંકાના રસ્તે નથી જઈ રહ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ