નવા નવા લગ્ન થયા હોય ત્યારે હનીમૂનને લઇને કપલ્સમાં ખુબ ઉત્સાહ હોય છે. બાદમાં કપલમાં સમાગમને લઇને પહેલા જેવો ક્રેઝ જોવા મળતો નથી તેનું કારણ શું?
કેમ ભારતીય કપલ વચ્ચે ઇન્ટિમસી ઓછી થઇ જાય છે
શરૂઆતમાં પ્રેમ સાથે ઇન્ટિમસી ભરપૂર હોય છે
કેટલાક કારણોને લીધે કંઇ પહેલા જેવુ રહેવુ નથી
લગ્ન બાદ રોમાન્સ ન રહેવાના ઘણા કારણો હોય છે. એવા કપલ પણ હોય છે જેમના શારીરિક સંબંધો લગ્નના થોડા વર્ષોમાં જ પતી જાય છે. ઘણા ભારતીય કપલે તેમની કહાણી જણાવી છે.
એકબીજા પ્રત્યે આકર્ષણ ન રહેવુ
38 વર્ષના એક યુવકે કહ્યું કે ક્યારેક મને એવુ લાગે છે કે મારી પત્ની હવે મારા તરફ આકર્ષાતી નથી. છેલ્લા એક વર્ષથી મેડીકલ કંડીશનના કારણે મારુ વજન વધી રહ્યું છે જેના કારણે મારી પત્ની મારી નજીક આવતી નથી.
બાળકો
એક મહિલાના કહ્યાં અનુસાર બાળકો પેદા થયા બાદ અમારી ઇન્ટિમસી ખતમ થઇ ગઇ છે. બાળકની દેખરેખમાં જ અમારો બધો સમય જતો રહે છે અને મુશ્કેલીથી અમારી ઉંઘ પૂરી થાય છે. સંબંધોને લઇને અમારો ઉત્સાહ હવે પહેલા જેવો રહ્યો નથી.
દવાઓ
લગ્નના કેટલાક વર્ષ બાદ પત્નીની યુટરસ સર્જરી થઇ હતી. દવાઓનો અસર તેની યૌન ઇચ્છા પર પડ્યો હતો અને તેના કારણે અમારી વચ્ચે કોઇ પ્રકારની અંટીમસી રહી નથી. મને આ વાત ગમતી નથી. એક યુવાને પોતાના સંબંધોને લઇને કહ્યું હતુ.
ગુસ્સો શાંત કરવા સમાગમ
43 વર્ષની એક મહિલાએ કહ્યું કે, મારા પતિ સમાગમ ત્યારે જ કરે છે જ્યારે અમારા વચ્ચે ઝઘડો થયો હોય અને ગુસ્સે હોય. તેમને ખબર છે કે તેના બાદ વસ્તુઓ નોર્મલ થઇ જશે. મને આ વાત ખુબ ખરાબ લાગે છે. તે મારા પ્રત્યે આકર્ષિત થઇને સંભોગની ઇચ્છા ધરાવતા નથી પરંતુ લડાઇ ઝઘડાથી બચવા કરે છે.
પ્રેમ ન હોવો
37 વર્ષની એક મહિલાએ જણાવ્યું કે, હું મારા પતિને હવે પ્રેમ નથી કરતી. જો કે મને તેમનાથી છૂટાછેડા નથી લેવા. તે એક સારા વ્યક્તિ છે અને સારા પિતા છે. હું બસ તેમની સાથે ઇન્ટિમેટ નથી થઇ શકતી. તેમને પણ આ વસ્તુથી કોઇ વાંધો નથી.