રાજ્ય અને દેશભરમાં બહુચર્ચિત બનેલાં ગુજરાતના IAS ગૌરવ દહિયાનાં પ્રેમપ્રકરણ કેસમાં CM રૂપાણીએ દહિયાને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે. IAS ગૌરવ દહિયા ગુજરાતના મુખ્ય વહિવટ વિભાગના નાયબ સચિવ હતા. જેઓને CM રૂપાણીના આદેશ બાદ મુખ્યસચિવ જે એન સિંઘે સસ્પેન્ડ કર્યા છે.
શું છે કથિત પ્રેમપ્રકરણ કેસ
ગુજરાત કેડરના IAS ગૌરવ દહિયાએ ફેસબુકમાં બનેલી એક ફ્રેન્ડ દિલ્હીની લીનું સિંઘ સાથે એક પત્ની હોવા છતાં બીજી પત્ની તરીકે લગ્ન કર્યા હતા. પ્રેમપ્રકરણમાં અચાનક કોઈ તકલીફ પડતાં બંને એકબીજા વિરૂદ્ધ ગુજરાત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ 2017માં ગૌરવ અને લિનુંને ફેસબુકમાં પ્રેમ થયો હતો અને પછી લગ્ન કર્યા હતા.
મહિલા IASની તપાસ કમિટીની બની હતી જેને રિપોર્ટ સરકારને સોપ્યો
પ્રેમપ્રકરણનો કેસ હાઈપ્રોફાઈલ અને બહુચર્ચિત હોવાથી પોલીસે આ કેસ અંગે સીએમ રૂપાણીને જાણ કરી હતી. ત્યારબાદ રૂપાણીના આદેશથી ગુજરાત સરકારમાં ફરજ બજાવતાં 3 મહિલા IASની એક તપાસ કમિટીની રચના થઈ હતી જેમાં લિનું સિંઘે પોતાના નિવેદન આપ્યું હતું. ત્યારબાદ તપાસ કમિટીએ પણ ગૌરવને આરોપી સાબિત કર્યો હતો. મહિલા IAS સુનયના તોમરે રૂપાણીને આ અંગે રિપોર્ટ સોપ્યો હતો.
તપાસ વાડજ પોલીસ અને ગાંધીનગર પોલીસ કરતી હતી
આ હાઈપ્રોફાઈલ કેસમાં બંને પક્ષે ફરિયાદ અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં થઈ હતી. ત્યારબાદ આ કેસમાં ગાંધીનગર પોલીસે પણ હાથમાં લીધો હતો. વાડજ પોલીસ અને ગાંધીનગર પોલીસની તપાસ બાદ આ કેસ મુખ્યમંત્રી કાર્યાલય મોકલાયો હતો. અને તપાસ કમિટીની રચના કરાઈ હતી.