બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ગુજરાતીએ લગાવેલા ગંભીર આક્ષેપ બાદ NIA માં મુઝમ્મીલે કહ્યું કે અલ્લાહ હૂ અકબર બોલવું સ્વાભાવિક
Last Updated: 06:53 PM, 29 April 2025
NIA ઝિપલાઇન ઓપરેટર મુઝમ્મિલની પૂછપરછ કરી રહી છે કારણ કે ગુજરાતના પ્રવાસી ઋષિ ભટ્ટે 'અલ્લાહ હુ અકબર' કહેતા તેના વીડિયો પર શંકા વ્યક્ત કરી હતી. અધિકારીઓના મતે, ગભરાટમાં આવું કહેવું એ એક સ્વાભાવિક પ્રતિક્રિયા હોઈ શકે છે, જેમ કે હિન્દુઓ 'હે રામ' કહે છે. શરૂઆતની પૂછપરછમાં, મુઝમ્મિલની સીધી સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી.
ADVERTISEMENT
ઝીપલાઇન વિવાદ NIA એ પુછ્યું
NIA ઝિપલાઇન ઓપરેટર મુઝમ્મિલની પૂછપરછ કરી રહી છે. જે જમ્મુ અને કાશ્મીરના પહેલગામ હુમલાના વાયરલ વીડિયોમાં જોવા મળ્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, મુઝમ્મિલ અને આતંકવાદીઓની મિલીભગત અંગે હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. પ્રત્યક્ષદર્શી પ્રવાસી ઋષિ ભટ્ટે હુમલા દરમિયાન ઓપરેટર પર 'અલ્લાહ હુ અકબર' કહેવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે મુઝમ્મિલના ભાઈ મુખ્તારએ એક ખાનગી ચેનલને જણાવ્યું હતું કે, તે ડરી ગયો હતો. NIAને હુમલામાં 3 આતંકવાદીઓની સંડોવણીના સંકેતો મળ્યા છે અને તેમને ગોળી મારતા પહેલા પીડિતોની ઓળખ પૂછવામાં આવી છે.
ADVERTISEMENT
NIA ઝિપલાઇન ઓપરેટર મુઝમ્મિલની પૂછપરછ કરી રહી છે
NIA અધિકારીઓ મંગળવારે ઝિપલાઇન ઓપરેટર મુઝમ્મિલની પૂછપરછ કરી રહ્યા છે. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ જણાવ્યું છે કે 'અલ્લાહ ઓ અકબર' કહેવું એ એક કુદરતી પ્રતિક્રિયા છે. જેમ હિન્દુઓ ગભરાટમાં અને અચાનક કંઈક બને ત્યારે ઘણી વખત રામ કહે છે. NIA ને આ આતંકવાદી હુમલામાં મુઝમ્મિલની કોઈ સીધી સંડોવણી જોવા મળતી નથી. જોકે, ગોળીબાર પછી તેણે ઋષિ ભટ્ટને ઝિપમાંથી કેમ છોડાવ્યો તે પ્રશ્ન પર મુઝમ્મિલ અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે.
ખાનગી ચેનલે ઝિપલાઇન ઓપરેટર મુઝમ્મિલના ભાઈ સાથે વાત કરી
ખાનગી ચેનલે ઝિપલાઇન ઓપરેટર મુઝમ્મિલના ભાઈ મુખ્તાર સાથે વાત કરી. મુખ્તારએ કહ્યું કે, 'જ્યારે તેનો ભાઈ હુમલા પછી ઘરે આવ્યો ત્યારે તે ખૂબ જ ગભરાઈ ગયો હતો. તેને હૃદયની બીમારી છે, તેથી તે ડરને કારણે કંઈ બોલી શક્યો નહીં. તેના ભાઈની પણ 23 એપ્રિલે પૂછપરછ કરવામાં આવી હતી અને પછી છોડી મૂકવામાં આવ્યો હતો. જોકે, પ્રવાસી ઋષિ ભટ્ટના નિવેદન પછી, NIA તેની ફરીથી પૂછપરછ કરી રહી છે.
પહેલગામ કેસમાં નવીનતમ અપડેટ શું છે?
પહેલગામ હુમલાના સાત દિવસ પછી, પાકિસ્તાને ભારતીય હવાઈ હુમલાના ડરથી સિયાલકોટ સેક્ટરમાં તેની રડાર સિસ્ટમ તૈનાત કરી દીધી છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદથી નિયંત્રણ રેખા સુધી ઇલેક્ટ્રોનિક યુદ્ધની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તેના ફાઇટર વિમાનો સતત ઉડાન ભરી રહ્યા છે. પાકિસ્તાન વાયુસેનાએ 'ફઝ્યા બદ્ર' અને 'લલકારી' નામની બે કવાયતો પણ શરૂ કરી છે. જેમાં ચીનથી મળેલા J-10C ફાઇટર વિમાનનો સમાવેશ થાય છે.
સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનની થું થું
પહેલગામ પછી, આખી દુનિયાએ પાકિસ્તાનનો વિરોધ કર્યો છે, મુસ્લિમ દેશો અને બ્રિટનમાં વોહરા સમુદાયે પણ પાકિસ્તાનની નિંદા કરી છે. અમેરિકા, રશિયા અને ચીને ભારત-પાકિસ્તાન મામલામાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે, અને પરમાણુ ધમકી પછી અમેરિકાએ પાકિસ્તાનને જવાબદારીપૂર્વક વિવાદ ઉકેલવાની સલાહ આપી છે. લંડન અને ટોરોન્ટો સહિત સમગ્ર વિશ્વમાં પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જેને ભારત માટે રાજદ્વારી સફળતા માનવામાં આવી રહી છે. પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાશિમ મુસા પાકિસ્તાની સૈન્યનો ભૂતપૂર્વ કમાન્ડો હોવાની શંકા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ પ્રતિનિધિ યોજના પટેલે મંત્રી ખ્વાજા આસિફની કબૂલાત ટાંકીને પાકિસ્તાનના પ્રચારનો પર્દાફાશ કર્યો. ખ્વાજા આસિફે સ્કાય ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું કે પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને સમર્થન, તાલીમ અને ભંડોળ પૂરું પાડી રહ્યું છે.
સિંધુજળ સંધિને સ્થગીત કરાઇ
સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણય પછી, પાકિસ્તાનમાં પાણીના સંકટની શક્યતા વધી ગઈ છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનની 90% ખેતી આ નદીઓના પાણી પર આધારિત છે અને પાણી રોકવાથી વીજળી ઉત્પાદનમાં પણ 30% ઘટાડો થઈ શકે છે. ભારત સિંધુ, ચિનાબ અને ઝેલમ જેવી પશ્ચિમી નદીઓ પર બંધ બનાવીને અને પાણી રોકીને અને વાળીને તેની પૂર્વીય નદીઓ રાવી, બિયાસ અને સતલજ સાથે જળ વ્યવસ્થાપનને મજબૂત બનાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.