રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) નું પ્રમુખ વ્યાજ દર રેપો રેટમાં 0.35%નો ઘટાડો કર્યા પછી ઘણી બેંકોએ લોન સસ્તી કરી છે.
સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) પછી 3 વધુ બેંકોની પાસેથી લોન લેવાથી સસ્તી પડશે. આ 3 બેંકોમાં સિન્ડિકેટ બેંક, ઓરિએન્ટલ બેંક ઑફ કોમર્સ અનેો IDBI શામેલ છે. તમને જણાવી દઇએ કે, RBIએ વિત્ત વર્ષ 2019-20ની ત્રીજી મૉનિટરી પૉલિસી રિવ્યૂ મીટિંગમાં રેપો રેટમાં 035% નો ઘટાડો કર્યો છે. તમને જણાવી દઇએ આ વર્ષે RBI એ 4 વખતમાં 1.15% રેપો રેટ ઘટાડ્યો છે, જેથી હવે રેપો રેટ 5.40% અને રિવર્સ રેપો રેટ 5.15% થઇ ગયો છે.
સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા:
- ભારતીય સ્ટેટ બેંકે તમામ સમયની લોન પરના વ્યાજ દરમાં 0.15% ઘટાડો કરી દીધો છે. આ પછી SBIની 1 વર્ષની માર્જિન કોસ્ટ ઑફ ફંડ બેસ્ટ લેન્ડિંગ રેટ્સ (MCLR)8.40% થી ઘટાડજીને 8.25% કર્યો છે. બેંકની નવા વ્યાજ દરો 10 ઓગસ્ટથી લાગૂ થઇ ગયા છે.
સિન્ડિકેટ બેંક:
- સિન્ડિકેટ બેંકે પોતાના માર્જિન કોસ્ટ ઑફ ફંડ બેસ્ટ લેન્ડિંગ રેટ્સ (MCLR)માં 0.25% નો ઘટાડો કર્યો છે. સિન્ડિકેટ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નવા વ્યાજ દર 12 ઓગસ્ટ એટલે કે સોમવારે લાગૂ થશે.
ઓરિયન્ટલ બેંક ઑફ કોમર્સ:
- ઓરિયન્ટલ બેંક ઑફ કોમર્સે અલગ-અલગ અવધીઓ માટે વ્યાજ દરો એટલે કે માર્જિન કોસ્ટ ઑફ ફંડ બેસ્ટ લેન્ડિંગ રેટ્સ (MCLR)માં 0.10% ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
- 1 વર્ષની લોનની સીમાંત પર આધારિત વ્યાજ દર MCLR 0.10% ઘટાડીને હવે 8.55% થઇ ગયો છે.
- આ સિવાય, એક દિવસથી લઇને 6 મહિના સુધીની વિભિન્ન અવધિ માટે MCLRમાં 0.05% થી 0.10% ઘટાડો કર્યો છે. નવા વ્યાજ દર 10 ઓગસ્ટથી લાગૂ થશે.
IDBI બેંક:
IDBI બેંકે 1 વર્ષના સમયમર્યાદામાં વ્યાજ પર MCLRને 0.10% ઓછો કરીને 8.95% કરી દેવામાં આવ્યો છે. 3 મહિનાથી 3 વર્ષ માટે વ્યાજ દરમાં 0.05 અને 0.15% નો ઘટાડો કરવામાં આવ્યો છે. નવો વ્યાજ દર 12 ઓગસ્ટથી લાગૂ થશે.
શું છે MCLR:
MCLR શું છે?
MCLRને માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ પણ કહેવાય છે. તેમાં બેંક પોતાના ભંડોળના ખર્ચ અનુસાર લોનના દર નક્કી કરે છે. આ બેંચમાર્ક દર હોય છે. તે વધે તો તમારી એ બેંકમાંથી લેવામાં આવેલી દરેક પ્રકારની લોન મોંઘી થઈ જાય છે.
માર્જિનલનો અર્થ હોય છે - અલગ અથવા વધુ. જ્યારે પણ બેંક લેન્ડિંગ રેટ નક્કી કરે ત્યારે તે બદલાયેલી સ્થિતિમાં ખર્ચ અને માર્જિનલ કોસ્ટની પણ ગણતરી કરે છે. બેંકોના સ્તરે ગ્રાહકોને ડિપોઝિટ પર આપવામાં આવતું વ્યાજ દરનો પણ સમાવેશ થાય છે.
MCLR નક્કી કરવા માટે ચાર ફેક્ટર્સ ધ્યાનમાં રાખવામાં આવે છે. તેમાં ફંડનો વધારાનો ચાર્જ પણ સામેલ હોય છે. નેગેટિવ કેરી ઓન CRR પણ સામેલ હોય છે. આ સાથે તેમાં ઓપરેશન કોસ્ટ ટેન્યોર પ્રીમિયમ પણ સામેલ હોય છે.