હવે બેંકને લઈને નવા સમાચાર સામે આવ્યાં છે. બેંક લોન હવે સસ્તી થશે. અને તેમના વ્યાજદરમાં પણ ઘટાડો થશે. એચડીએફસી અને એસબીઆઈ બાદ હવે અલ્હાબાદ બેન્કે પણ એમસીએલઆરના દરમાં કાપ મુક્યો છે.
ઓછો થયો એમસીએલઆર
એમસીએલઆર હવે 8.30% થી 8.25% થઈ ગયો છે
RBIના રેપો દરમાં કોઈ બદલાવ નથી આવ્યો
એચડીએફસી અને ભારતીય સ્ટેટ બેંક બાદ હવે અલ્હાબાદ બેન્કે પણ માર્જિનલ કોસ્ટ ઓફ લેડીંગ રેટમાં કાપ મુક્યો છે. હવે ગ્રાહકોને ફાયદો થશે કારણ કે સસ્તી લોણ મળશે.
ઓછો થયો MCLR
અલ્હાબાદ બેંકમાં વિભિન્ન પાકી ગયેલા સમયગાળા માટે એમસીએલઆર 0.05% કાપ મુક્યો છે. નવા દર 14 ફેબ્રુઆરીથી લાગુ પડશે. આ સંદર્ભે બેન્કે બીએસઈને કહ્યું કે 1 વર્ષના પાકી ગયેલા સમયગાળામાં વ્યાજનો એમસીએલઆર હવે 8.30% થી 8.25% થઈ ગયો છે. આ જ રીતે એક મહિનો, ત્રણ મહિના અને 6 મહિનાનો એમસીએલઆર 7.75% થી 8.10% પહોચી ગયો છે.
આરબીઆઈ એ કર્યું એલાન
જણાવી દઈએ કે ભારતીય રીઝર્વ બેંક RBIના રેપો દરમાં કોઈ બદલાવ નથી આવ્યો. રેપો દર 5.15% જ છે. ગુરુવારે કેન્દ્રીય બેંકે લોનને પ્રોત્સાહન આપવા માટે એલાન કર્યું છે. નાના અને મધ્યમ ઉધોગોનો લોન આપી પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી.