બુધવારે એક્ટર ઈરફાન ખાન અને ગુરૂવારે ઋષિ કપૂરના નિધન બાદ હવે શુક્રવારે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો લાગ્યો. ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડ્યૂસર ગિલ્ડ ઓફ ઈન્ડિયાના સીઈઓ કુલમીત મક્કડનું આજે મુંબઈમાં દુઃખદ અવસાન થઈ ગયું છે. ફિલ્મમેકર કરણ જોહર અને અશોક પંડિતે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે, 60 વર્ષીય કુલમીત મક્કડને હાર્ટ એટેક આવ્યો હતો. આ સમાચાર સામે આવતા બોલિવૂડની ઘણી હસ્તીઓ તેમને શ્રદ્ધાજંલિ આપી રહી છે.
બોલિવૂડને વધુ એક ઝટકો
હાર્ટ એટેકથી આ દિગ્ગજ હસ્તીનું શુક્રવારે થયું નિધન
કરણ જોહરે વ્યક્ત કર્યું દુઃખ
કરણ જોહરે કુલમીત મક્કડના નિધન પર લખ્યું- કુલમીત તમે પ્રોડ્યૂસર ગિલ્ડના એક મહત્વના સ્તંભની જેમ હતા. તમે ઈન્ડસ્ટ્રીના ઉત્થાન માટે સતત કાર્યરત હતા. તમે અમને બહુ જલ્દી છોડીને ચાલ્યા ગયા. તમને હંમેશાં પ્રેમથી યાદ કરવામાં આવશે.
Kulmeet you were such an incredible pillar to all of us at the Producers Guild of India....relentlessly working for the industry and towards its enhancement and advancement... you left us too soon...We will miss you and always Remember you fondly.... Rest in peace my friend... pic.twitter.com/GUcapyjfMo
તમને જણાવી દઈએ કે, બુધવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ઈરફાન ખાનનું નિધન થયું હતું. તેઓ છેલ્લા 2 વર્ષથી કેન્સરથી પીડિત હતા અને ઈલાજ કરાવી રહ્યાં હતા. તેમના મૃત્યુ બાદ તેમના પાર્થિવ દેહને હોસ્પિટલથી સીધુ વર્સોવા કબ્રસ્તાન લઈ જવામાં આવ્યા હતા અને 3 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
જ્યારે ઋષિ કપૂરે ગુરૂવારે સવારે 8.45 મિનિટ છેલ્લા શ્વાસ લીધા. 67 વર્ષીય ઋષિ કપૂરના નિધનની જાણકારી અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને આપી હતી.. અમેરિકામાં એક વર્ષ સુધી કેન્સરનો ઈલાજ કરાવ્યા બાદ તેઓ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પરત આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં થોડાં દિવસથી મુંબઈની એચએમ રિલાયન્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.