ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેનાર ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે એક ફેરવેલ મેચનું આયોજન કરવા માટે તૈયાર છે. બીસીસીઆઇએ કહ્યું કે આઇપીએલ વખતે આ બાબતે ધોની સાથે વાત કરશે અને બાદમાં કાર્યક્રમ નક્કી કરશે.
ધોનીના રિટાયર્મેન્ટ બાદ BCCIનો નિર્ણય
ધોની માટે રાખવામાં આવશે ફેરવેલ મૅચ
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, હાલમાં કોઇ આંતરરાષ્ટ્રીય સિરીઝ નથી. આઇપીએલ બાદ આ મેચ રમાશે તેવી શક્યતાઓ છે. ધોનીએ દેશ માટે ઘણુ કર્યુ છે, અને તે આ સન્માનના હકદાર છે. અમે હંમેશાથી તેમના માટે એક ફેરવેલ મેચ રાખવા માંગતા હતા પરંતુ ધોની એક અલગ ખેલાડી છે. ધોનીએ જ્યારે સન્યાસની ઘોષણા કરી ત્યારે કોઇએ આ વિશે વિચાર્યુ પણ ન હતું.
વધુમાં તેમણે જણાવ્યું કે આઇપીએલ વખતે તે ધોની સાથે વાત કરશે અને તે વિશે ધોનીની સલાહ લેવામાં આવશે. કઇ પણ મેચ કે સિરીઝ વિશે વાત કરવા માટે જ સાચી જગ્યા છે. ધોનીને સન્માનિત કરવા તે અમારા માટે સન્માનની વાત હશે.
પૂર્વ ક્રિકેટર મદન લાલે પણ ધોની માટે ફોરવેલ મેચના આયોજનનું સમર્થન કર્યુ હતું. વધુમાં તેમણે કહ્યું કે, આઇપીએલ દુબઇમાં થવાની છે અને દરેક વ્યક્તિ ધોનીને જોવા માટે સ્ક્રિન પર ચીપકી જશે.
39 વર્ષીય ધોનીએ 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યા બાદ 350 વન ડે, 90 ટેસ્ટ અને 98 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમ્યા. ધોનીની કેપ્ટનશીપ હેઠળ 2007માં પહેલા ટી-20 વર્લ્ડકપ જીત્યો બાદમાં 2011માં 50 ઓવર વર્લ્ડકપ અને 2013માં ચેમ્પિયનશીપ ટ્રોફી જીતી હતી.