કોરોના સંકટ દેશમાં ધીમું પડી રહ્યું છે ત્યારે એક અન્ય માઠા સમાર આવી રહ્યા છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં પણ 5 ટકા લોકોમાં સૂંધવાની અને સ્વાદની ક્ષમતા ખતમ થઈ જાય છે. દર્દી સાજા થયા બાદ પણ 2 મહિના સુધી તેની આ બંને ક્ષમતાઓ પરત આવતી નથી. તેનામાં પોસ્ટ કોવિડ લક્ષણો કાયમ રહે છે. આ સાથે જ અન્ય તકલીફો પણ જોવા મળે છે.
કોરોનાથી સાજા થયા બાદ પણ મુશ્કેલી
2 મહિના બાદ પણ નથી આવતી સૂંઘવા-સ્વાદની ક્ષમતા
શ્વાસ લેવામાં પણ થાય છે તકલીફ
જ્યારે કોરોનાના દર્દીઓ સાજા થઈ જાય છે ત્યારે પણ તેમને શરીરમાં દુઃખાવવાની ફરિયાદ કાયમ રહે છે. આ સિવાય શ્વાસ લેવામાં પણ તકલીફ જોવા મળે છે. એક દર્દીએ કહ્યું છે કે તેને સીડી ચઢવામાં પણ તકલીફ થતી હતી. અચાનક જલ્દી ગુસ્સો આવવા લાગ્યો હતો. તેને અનેક દિવસો સુધી વેન્ટિલેટર પર રહેવું પડ્યું હોવાથી ડરામણા સપના આવતા હતા. જ્યારે દર્દીએ ડોક્ટરનો સંપર્ક કર્યો તો તેઓએ કહ્યું કે આ પ્રક્રિયાનો ભાગ છે. તે ધીમે ધીમે સારું થઈ જશે.
ભારતમાં કોરોનાની આવી છે સ્થિતિ
ભારતમાં છેલ્લા 3 અઠવાડિયાથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ભારતમાં એક જ દિવસ 70 હજાર 624 કેસ આવ્યા છે. અહીં એક જ દિવસમાં 76 હજાર 745 દર્દીઓ સાજા થયા છે. કોરોના બાદ કુલ 59 લાખ 3 હજાર લોકો સાજા થયા છે. હાલ દેશમાં 8 લાખ 93 હજાર 41 કોરોનાના એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. કોરોનાથી દેશમાં કુલ 1 લાખ 6 હજાર લોકોના મૃત્યુ થયા છે. દેશના 18 રાજ્યોમાં 1 લાખથી વધુ કોરોના કેસ આવી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 14 લાખ 93 હજાર કોરોના કેસ નોંધાયા છે.