દેશ દુનિયામાં કોરોના પ્રકોપ ઘટવાનું નામ નથી લઇ રહ્યો. એવામાં કેટલાક એવા પ્રસંગો બનતા જાય છે જે સાબિત કરે છે કે માનવતાની જ્યોત દુનિયામાં હજુ પણ પ્રજ્વલિત છે. સુરત શહેરમાંથી એક પ્રેરણાત્મક ઘટના સામે આવી છે જેમાં સુરતના એક બિઝનેસમેને કોરોનાથી રિકવર થયા પછી પોતાની ઓફિસને 85 બેડની ફેસિલિટીમાં કન્વર્ટ કરી દીધી છે જેમાં ગરીબોને મફતમાં સારવાર આપવામાં આવે છે.
સુરત શહેરમાં અત્યારે અમદાવાદની જેમ જ ભયજનક સંખ્યામાં કેસ આવી રહ્યા છે. છેલ્લા થોડા દિવસથી મૃતાંક અને એક્ટિવ કેસના આંકડા વધી રહ્યા છે. એવા સમયમાં ગુજરાતના કાદર શેખ નામના એક પ્રોપર્ટી ડેવલપએવા પોતાની ઓફિસને ઓફિસને 85 બેડની ફેસિલિટીમાં કન્વર્ટ કરી દીધી છે જેમાં ગરીબોને મફતમાં સારવાર આપવામાં આવે છે. નોંધનીય છે કે કાદર પોતે કોરોના વાયરસથી હમણાં જ રિકવર થયા છે.
કાદર શેખ સારવાર માટે 20 દિવસ એક ખાનગી ક્લિનિકમાં એડમિટ થયા હતા
ભારતમાં કોરોના વાયરસ મહામારી વિશ્વના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતને ધમરોળી રહ્યો છે. ભારતના બુધવારે કોરોનાના 15 લાખ કેસ પાર થઇ ગયા છે અને લગભગ 35000 હજાર લોકો મોતને ભેટ્યા છે. સરકારી દવાખાનાઓના બેડ ઉભરાઈ રહ્યા હોવાથી કાદર શેખ સારવાર માટે 20 દિવસ એક ખાનગી ક્લિનિકમાં એડમિટ થયા હતા. તેઓ આ હોસ્પિટલનું બિલ જોઈને ચોંકી ગયા હતા.
ગરીબ વ્યક્તિઓને હોસ્પિટલની સારવારનો ખર્ચ પોસાય એવું શક્ય નથી
તેમણે AFP ન્યુઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલની સારવારનો ખર્ચ એટલો વધારે છે કે ગરીબ વ્યક્તિઓને તે પોસાય એવું કોઈ રીતે શક્ય નથી. આ માટે તેમણે નક્કી કર્યું કે કોરોના સામેની લડાઈમાં તેઓ પોતાનો ફાળો આપશે.
પોતાની 30,000 સ્કવેર ફિટની ઓફિસને હોસ્પિટલમાં ફેરવી દીધી
એક વખત સાજા થઇ ગયા પછી શેખે સ્થાનિક અધિકારીઓ પાસે એપ્રુવલ લઇને પોતાની 30,000 સ્કવેર ફિટની ઓફિસને હોસ્પિટલમાં ફેરવી દીધી. સરકાર તેમને આ સ્થળે સ્ટાફ, મેડિકલ સાધનો અને દવાઓ ઉપલબ્ધ કરાવે છે જયારે શેખ પોતે બેડ ખરીદીને ઇલેક્ટ્રિસિટી અને અન્ય ખર્ચ ભોગવે છે. તેમણે ઉમેર્યું હતું કે આ એક એવી જગ્યા છે જ્યાં દરેકને જ્ઞાતિ, સંપ્રદાય કે ધર્મના દર્દીઓને સરખી સારવાર આપવામાં આવશે.