દૂરદર્શન લોકડાઉનમાં તેના દર્શકોના મનોરંજન માટે એક પછી એક જૂના શોઝ રિ-ટેલિકાસ્ટ કરી રહ્યું છે. રામાયણ અને મહાભારત જેવા ટીવી શોઝને કારણે ચેનલને જબરદસ્ત ટીઆરપી મળી છે. ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં દૂરદર્શન નંબર 1 ચેનલ બની ગઈ છે. આ શોઝની સફળતા બાદહવે ચેનલ વધુ એક લોકપ્રિય ધાર્મિક શોનું રિ-ટેલિકાસ્ટ કરવા જઈ રહી છે. જેના વિશે દૂરદર્શને જાહેરાત કરી છે.
રામાયણ અને મહાભારતને મળી રહી છે છપ્પરફાડ ટીઆરપી
આ શોઝની સફળતા બાદ હવે દૂરદર્શન પર શરૂ થશે આ શો
દૂરદર્શને ટ્વિટર પર કરી જાહેરાત
હકીકતમમાં હાલમાં જ દૂરદર્શન ચેનલે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ જાણકારી આપી છે. રવિ ચોપડાએ બનાવેલી વિષ્ણુ પુરાણની વાપસી થવાની છે. તેનું પ્રસારણ ડીડી ભારતી પર શરૂ થશે. ધાર્મિક સીરિયલને લઈને દૂરદર્શને ટ્વિટ કર્યું- ભગવાન વિષ્ણુની મહિમાની કથા વિષ્ણુ પુરાણ જલ્દી આવી રહ્યું છે. દૂરદર્શનના આ ટ્વિટ પર દર્શકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે, આ સિવાય દૂરદર્શન પર 3 મેથી શ્રીકૃષ્ણા સીરિયલ શરૂ થવાની છે. આ સીરિયલને લઈને લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. થોડાં દિવસ પહેલાં પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે શ્રી કૃષ્ણાના પુનઃપ્રસારણને લઈને ટ્વિટ કર્યું હતું કે, શ્રી કૃષ્ણા 3 મેથી રાતે 9 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ ચેનલ પર રામાયણે જબરદસ્ત ટીઆરપી હાસલ કરી છે. સાથે જ આ ધાર્મિક સીરિઝએ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી લીધો છે.