વલસાડની કોલેજમાં એક વિદ્યાર્થીનું ચાલુ કલાસમાં જ મોત થતાં પંથકમાં શોકનો માહોલ, ગઇકાલે રાજકોટની વિદ્યાર્થિની રીયાનું ચાલુ ક્લાસે થયું હતું મોત
વલસાડમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ચાલુ ક્લાસે મોત
જે.પી.શ્રોફ આર્ટ્સ કોલેજના S.Y.B.Aમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી
આકાશ પટેલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો પણ તબીબોએ મૃત જાહેર કર્યો
હાર્ટઅટેકથી આકાશનું મોત થયાનું પ્રાથમિક અનુમાન
ગઇકાલે રાજકોટની વિદ્યાર્થિની રીયાનું ચાલુ ક્લાસે થયું હતું મોત
વલસાડની કોલેજમાં એક વિદ્યાર્થીનું ચાલુ કલાસમાં જ મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ વલસાડની જે.પી.શ્રોફ આર્ટસ કોલેજની આ ઘટના હોવાનું સામે આવ્યું છે. જ્યાં S.Y.B.Aના એક વિદ્યાર્થીને ચાલુ ક્લાસમાં હાર્ટ એટેક આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. આ તરફ વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા બાદ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. નોંધનીય છે કે, ગઇકાલે રાજકોટમાં પણ એક વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકથી નિધન થયાનું સામે આવ્યું હતું.
શું છે સમગ્ર મામલો ?
રાજ્યમાં હાલ હાડ થિજવતી ઠંડી પડી રહી છે. ત્યારે વલસાડમાં એક વિદ્યાર્થીનું ચાલુ ક્લાસમાં નિધન થયું છે. ઘટનાની વિગત એવી છે કે, વલસાડના મોગરા વાડી વિસ્તારના આકાશ પટેલ નામનો વિધાર્થી વલસાડની જે.પી.શ્રોફ આર્ટસ કોલેજમાં S.Y.B.Aમાં અભ્યાસ કરે છે. જોકે આ આકાશ પટેલને ચાલુ ક્લાસમાં હાર્ટ એટેક આવતા તેને તાત્કાલિક સારવાર અર્થે કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હોસ્પિટલના તબીબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. જોકે હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.
રાજકોટમાં શું બની હતી ઘટના ?
રાજકોટ જસાણી સ્કૂલમાં વિદ્યાર્થીનીનું અચાનક મોત થયાંની ઘટના સામે આવી છે. આઠમા ધોરણમાં અભ્યાસ કરતી વિધાર્થીની રિયાનું મોત થયું છે અને વિધાર્થિની મોતનુ કારણ અજી સુધી અકબંધ છે. સમગ્ર બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે અને વિશેરા લઇ ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે. PM રિપોર્ટ બાદ મોતનુ સાચુ કારણ સામે આવશે. જે સમગ્ર બાબતે રિયાની માતાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તેમણે ગંભીર આક્ષેપ સાથે કરી વિનંતી કરતા કહ્યું કે, મારી દીકરી જેવી દુઃખદ ઘટના કોઇ સાથે ન થાય અને શિયાળામાં સ્કૂલનો ટાઇમ બદલવો જરૂરી છે તેણે કહ્યું કે, સ્કૂલનો સમય બદલો, સવારનો વહેલો સમય ન રાખો તેમણે જણાવ્યું કે, શિયાળામાં સ્કૂલનો ટાઇમ બદલવો જરૂરી અને સ્કૂલનો સમય બદલો,સવારનો વહેલો સમય ન રાખો.
શું કહ્યું હતું મૃતક બાળકી રીયાની માતાએ ?
રીયાના માતાએ કહ્યું કે, કડડતી ઠંડીમાં છોકરાઓને આવવું પડે તે યોગ્ય નહીં અને બની શકે તો સ્કૂલનો સમય મોડો રાખો અને સ્કૂલના જ સ્વેટર પહેરવા માટે મજબૂર કરો તે યોગ્ય નહીં અને સ્કૂલના સ્વેટર ઠંડી ઝીલી શકે તેવા નથી.
તેમણે જણાવ્યું કે, સ્કૂલમાં છોકરાઓ જાડા સ્વેટર પહેરે તો ઠંડી ઝીલી શકે. મે મારી ફૂલ જેવી દીકરી ખોઇ નાંખી છે તેમણે જણાવ્યું કે, રીયા એકદમ તંદુરસ્ત હતી, કોઇ પણ બીમારી ન હતી અને ઠંડીને કારણે બ્લડ જામી ગયું તેમાં હદય બંધ થઇ ગયું. તેમણે જણાવ્યું કે, બ્લડ જામી ગયું તેમાં 10 મિનિટમાં મારી દીકરી જતી રહી.
ઠંડીને કારણે હાર્ટ એટેકના કેસો વધ્યા ?
ઠંડીનો ખરાબ પ્રભાવ સૌથી પહેલા હાઈ બીપી અને દિલના દર્દીઓ પર થાય છે. ઠંડીમાં રક્ત વાહિકાઓ સંકોચાઈ જાય છે, જેના કારણે શરીરમાં લોહીનો પ્રભાવ વધારે ધીમો થવા લાગે છે. જેનાથી તેમને હાર્ટ એટેક આવવાની સૌથી વધુ સંભાવના રહે છે. હાર્ટના દર્દીઓને શિયાળાની સિઝનમાં ખાસ કરીને બચાવ કરવા અને પોતાને ગરમ રાખવાની જરૂર હોય છે. જેનાથી લોહીનો પ્રવાહ ઓછો ના થાય.