તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને શોના ફેન્સને મોટો આંચકો શકે છે. ટપ્પુ એટલે કે રાજ અનડકટ આ સિરિયલને છોડી શકે છે અને આ જાણકારી ટપ્પૂએ જ ફેન્સને આપી હતી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી એક મોટી ખબર
ટપ્પુ પણ આ શોમાં નીકળી જવાનું કહી રહ્યો છે
રાજ 2017 માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં જોડાયો
ટેલિવિઝનની સૌથી લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી એક મોટી ખબર સામે આવી છે. દયા, અંજલિ ભાભી અને સોઢી જેવા બાકીના કલાકારોની જેમ ટપ્પુ પણ આ શોમાં નીકળી જવાનું કહી રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે આ સમાચાર આવ્યા હોય. છેલ્લા ઘણા વખતમાં ટપ્પૂ એટલે કે રાજ અનડકટે આ વાતને ખોટી ગણાવી છે, પરંતુ આ વખતે તેમણે આ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે, જેના કારણે લોકોને લાગવા લાગ્યું છે કે તેઓ હવે આ શોનો હિસ્સો નહીં રહે.
શો છોડતી વખતે રાજે શું કહ્યું
પોતાના લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં જ્યારે રાજને તેની સાથે જોડાયેલા કેટલાક સમાચારો વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે મારા ફેન્સને ખબર છે કે હું સસ્પેન્સ ક્રિએટ કરવામાં એક્સપર્ટ છું. રાજે એમ પણ ઉમેર્યું હતું કે ચાહકોને એ હકીકત વિશે ચોક્કસપણે ખબર પડશે. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે બધું જ જાણી જશો.
ભવ્ય ગાંધીએ અલવિદા કહ્યા બાદ રાજ આવ્યો
ભવ્ય ગાંધીના ગયા પછી રાજ 2017 માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં જોડાયો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં, તેના શો છોડવાના અહેવાલો ઘણી વખત બહાર આવ્યા છે, જોકે, તેણે હંમેશાં તેના શો છોડવાના સમાચારને ખોટા ઠેરવ્યા છે. પરંતુ આ વખતે રાજ અનડકતે શો છોડવાના સવાલનો સીધો જવાબ આપ્યો ન હતો, પરંતુ તેને ફેરવીને મામલો મુલતવી રાખ્યો હતો.
મહેતા સાહેબે પણ શો છોડ્યો
ત્યારે જુનમાં જ શોથી જોડાયેલા સૌથી જુના કલાકારોમાંના એક કલાકાર શૈલેશ લોઢા પણ શો છોડીને ચાલ્યા ગયા હતા. હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ફેન્સની ટેન્સન વધુ વધી ગઈ છે. હવે કહેવું મુશ્કેલ છે કે શું ટપ્પું શો આગળ લઇ જશે કે નવો ટપ્પું શોધવો પડશે.