CM ગેહલોતના ઓએસડી લોકેશ શર્માએ ટ્વિટ કરીને કહ્યું કે આ ટ્વીટને પંજાબ સાથે જોડીને જોવામાં આવી રહી છે. આ પછી મોડીરાતે તેઓએ પોતાનું રાજીનામું સીએમ ગેહલોતને મોકલ્યું છે.
પંજાબ બાદ રાજસ્થાનમાં રાજકારણ ગરમાયુ
કેપ્ટનના રાજીનામા બાદ અહીં પડ્યું વધુ એક રાજીનામું
CM ગેહલોતના ઓએસડી લોકેશ શર્માએ આપ્યું રાજીનામું
પંજાબના રાજકારણમાં આવેલા ભૂકંપ બાદ રાજસ્થાનમાં પણ આગ જોવા મળી રહી છે. કોંગ્રેસ પાર્ટી પંજાબ સીએમના રાજીનામાથી હજુ બહાર આવી નથી ત્યારે હવે રાજસ્થાનના મુખ્યમંત્રી CM ગેહલોતના ઓએડી લોકેશ શર્માએ રાજીનામું આપ્યું છે. તેઓએ શનિવારે મોડી રાતે લગભગ 12.30 વાગે પોતાનું રાજીનામું સીએમ ગેહલોતને મોકલ્યું છે.
Rajasthan | Lokesh Sharma, Officer on Special Duty (OSD) to Rajasthan CM Ashok Gehlot, has offered resignation after a tweet he posted on 18th September sparked controversy amid the political developments in Punjab pic.twitter.com/0ZmD0cMope
ટ્વીટ કરીને જણાવ્યું રાજીનામાનું કારણ
રાજીનામાનું કારણ આપવા માટે CM ગેહલોતના ઓએડી લોકેશ શર્માએ ટ્વીટ કરી છે. તેઓએ લખ્યું છે કે એક મજબૂત કો મજબૂર, મામૂલી કો મગરૂર કિયા જાય, બાડ હી ખેત કો ખાયે, ઉસ ફસલ કો કૌન બચાએ... લોકેશ શર્માએ કહ્યું કે તેના ટ્વિટને રાજનિતિક રંગ આપવામાં આવી રહ્યો છે. તેને પંજાબની રાજનીતિ સાથે જોડવામાં આવી રહ્યો છે આ ખોટું છે. આ કારણે તેઓ પોતાનું રાજીનામું આપી રહ્યા છે.
રાજીનામામાં લખ્યું પાર્ટી લાઈનથી અલગ નથી
લોકેશ શર્માએ લખ્યું કે હું 2010થી ટ્વિટર પર સક્રિય છું, આજ સુધી પાર્ટી લાઈનથી અલગ કોઈ એવા શબ્દ લખ્યા નથી જેને ખોટા કહી શકાય. મે મારી મર્યાદાને ધ્યાનમાં રાખીને કોઈ પણ રાજકીય ટ્વિટ કર્યું નથી. તો પણ તમને લાગી રહ્યું છે કે મારા દ્વારા જાણી જોઈને કોઈ ભૂલ કરાઈ છે તો હું રાજીનામું આપી રહ્યો છું, નિર્ણય તમારે કરવાનો છે.
રાજસ્થાનમાં પણ કોંગ્રેસની રાહમાં રોડા
એ કોઈનાથી અજાણ નથી કે પંજાબની જેમ રાજસ્થાન કોંગ્રેસમાં પણ બધું સમુ સુતરું ચાલી રહ્યું નથી. 2018 વિધાનસભા ચૂંટણીના બાદથી સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટની વચ્ચે તલ્લખી વધારો કરાયો છે. આ વખતે તેને સાર્વજનિક રીતે જોવામાં આવ્યું છે.