કોંગ્રેસ શાસિત રાજ્યોમાં એક બાદ એક રાજ્યની અંદર ખટરાગ ઉભો થઈ રહ્યો છે. પાર્ટીની શું છે સ્થિત.
કોંગ્રેસ શાસિત રાજ્યોમાં એક બાદ એક ખટરાગ
છત્તીસગઢમાં પણ વિખવાદ
કોંગ્રેસનું તંત્ર ડામાડોળ થયુ
કોંગ્રેસ શાસિત રાજ્યોમાં એક બાદ એક ખટરાગ
વિભિન્ન રાજ્યોમાં કોંગ્રેસની અંદર ઉભા થયેલા અસંતોષથી કેન્દ્રીય નેતૃત્વની ચિંતા ઓછી નથી થઈ રહી. એક બાદ એક રાજ્યની અંદર ખટરાગ ઉભો થઈ રહ્યો છે. પાર્ટી શાસિત રાજ્યોની સાથે તે રાજ્યોમાં પણ ઝઘડો વધી રહ્યો છે જ્યાં પાર્ટી વર્ષોથી સત્તામાંથી બહાર છે અને પાછા ફરવાની કોઈ આશા નથી. કોંગ્રેસની આ સમયે ફક્ત 3 રાજ્યોમાં સરકાર છે. પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢ. આ સાથે પાર્ટી મહારાષ્ટ્ર અને ઝારખંડ સરકારમાં સામેલ છે. પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધનો ઝઘડો પાર્ટીની ચિંતા વધી રહી છે ત્યારે છત્તીસગઢમાં પણ ખટરાગ શરુ થયો છે.
છત્તીસગઢમાં પણ વિખવાદ
છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવની વચ્ચે અનેક મુદ્દાઓ પર અથડામણ છે. રાજસ્થાનમાં પણ ખટરાગ હજું ચાલુ છે. તો બંગાળમાં સત્તા વાપસીની કોઈ આશા નથી. ત્યાં કુલ મળીને કોંગ્રેસની સામે અઢળક સમસ્યાઓ અને ટેન્શન છે.
આ કારણે કોંગ્રેસનું તંત્ર ડામાડોળ થયુ
રણનીતિકાર માને છે કે રાજ્યોમાં ઝઘડાનું કારણ રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને હોબાળાની સ્થિતિ છે. આ સાથે અધ્યક્ષની રાજનીતિક સલાહકારની અછત પણ મોટું કારણ મનાય છે. અહેમદ પટેલ બાદ કોઈ મોટા નેતા નથી જે આ ઝઘડાને પતાવી શકે. વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે કેરળમાં ફેરફાર કર્યા છે. ત્યારે નવી નિમણુક સામે જૂના નેતાઓ એકજૂથ થયા છે. તેઓએ પણ પાર્ટી પર દબાણ કર્યુ છે. આસામમાં મંત્રી ન બનતા અસંતોષને કારણ રુપજ્યોતિ કુર્મી પાર્ટી છોડી ચૂક્યા છે.
કોંગ્રેસની ચિંતા હજું પણ વધતી દેખાઈ રહી છે
તો ઉત્તરાખંડમાં આવનારા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. પણ ગઠબંધનના ચાલતા પાર્ટીમાં અનેક દોરની બેઠક છતાં ધારાસભ્ય દળના નેતાના નામ નક્કી નથી કરી શકાયા. હિમાચલ પ્રદેશમાં પાર્ટી નેતા કુલદીપ રાઠોર અને પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહમાં ઝઘડો યથાવત છે. ઝારખંડ, બિહાર અને મધ્ય પ્રદેશમાં સ્થિતિ અલગ નથી. તેવામાં કોંગ્રેસની ચિંતા હજું પણ વધતી દેખાઈ રહી છે.