નિતેશ તિવારીની આવનારી ફિલ્મ રામાયણ ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ રામ-સીતાના રોલમાં જોવા મળશે
નિતેશ તિવારીની આવનારી ફિલ્મ રામાયણ સમાચારમાં આવી છે
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ રામ-સીતાના રોલમાં જોવા મળશે
સાઉથનો આ સ્ટાર બનશે રાવણ
આ દિવસોમાં ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આદિપુરુષની ચર્ચા છે, જેમાં પ્રભાસ, કૃતિ સેનન, સની સિંહ અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે પણ આ દરમિયાન નિતેશ તિવારીની રામાયણ સમાચારમાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ રામ-સીતાના રોલમાં જોવા મળશે જ્યારે રાવણ માટે સાઉથના મોટા સ્ટારને લોક કરવામાં આવ્યા છે.
રામ-સીતાના રોલમાં રણબીર-આલિયા
નિતેશ તિવારીની રામાયણ ઘણા સમયથી ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બર 2023થી શરૂ થશે. જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાને મેઇન લીડ માટે પુષ્ટિ કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર રણબીર કપૂર પ્રભુ રામના લુક ટેસ્ટ માટે ઓફિસ પહોંચ્યો હતો, જ્યાં રણબીર કપૂરના ફિઝિકલ ટ્રાન્ફમેશનની પણ વાત થઈ હતી. રણબીર સાથે આલિયાની મીટિંગમાં નિતેશ તિવારી તેમજ નમિત મલ્હોત્રા, મંધુ મન્ટેના અને તેમની ટીમ પણ હાજર હતી.
સાઉથનો આ સ્ટાર બનશે રાવણ
કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે અને આલિયા માતા સીતાના રોલમાં જોવા મળશે. રામ અને સીતા સિવાય કેજીએફ ફેમ યશ સાથે ફિલ્મમાં રાવણનો રોલ કરવા માટે વાતચીત ચાલી રહી છે. સૂત્રના જણાવ્યા અનુસાર, યશે હજુ સુધી ફિલ્મ સાઈન કરી નથી. જો કે રાવણના રોલ માટે તેની સાથે વાતચીત ચાલી રહી છે.
જણાવી દઈએ કે ફિલ્મ અને સ્ટારકાસ્ટ અંગેની સત્તાવાર જાહેરાત દિવાળીના ખાસ અવસર પર કરવામાં આવી શકે છે.