પંજાબ નેશનલ બેન્ક (PNB) બાદ એક અન્ય સરકારી બેન્ક અલાહાબાદ બેન્કે શનિવારે ભારતીય રિઝર્વ બેન્કને ભૂષણ પાવર એન્ડ સ્ટીલ દ્વારા લગભગ 1774 કરોડ રૂપિયાથી વધારે છેતરપિંડીની સૂચના આપી છે.
અલાહાબાદ બેન્કે એક નિયામકીય સૂચનામાં કહ્યું છે કે, કંપની અને તેના ડિરેક્ટરો વિરુદ્ધ ફોરેન્સિંક ઓડિટ તપાસના નિષ્કર્ષો અને સીબીઆઇ દ્વારા એફઆઇઆરના આધારે બેન્કને રિઝર્વ બેન્કને 1,774.82 કરોડ રૂપિયાની છેતરપિંડી વિશે સૂચિત કર્યા છે. તેમા આરોપ લગાવામાં આવ્યો છે કે ભૂષણ એન્ડ સ્ટીલ લિમિટેડ (BPSL)ની બેન્કિગ પ્રણાલીથી રૂપિયાનો દૂરપયોગ કર્યો છે.
ગત સપ્તાહે પંજાબ નેશનલ બેન્ક (PNB)એ દેવાળીયા કંપની બીપીએસએલ દ્વારા બેન્ક અને ખાતામાં હેરાફેરી કરી 3805.15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા વિશે સૂચના આપી છે. પીએનબી દ્વારા કંપનીને આપવામાં આવેલા 4399 કરોડ રૂપિયામાં લગભગ 85 ટકા ધનરાશિને ખોટી રીતે અન્ય ખર્ચ કર્યા હતા. અલાહાબાદ બેન્કે આગળ કહ્યું કે એ જાણવા મળ્યું છે કે કંપનીએ બેન્કના રૂપિયાનો દૂરપયોગ કર્યો અને બેન્કોના સમૂહથી ધન મેળવવામાં ખાતાઓમાં હેરાફેરી કરી છે.
વર્તમાનમાં આ મામલો એસીએલટીમાં છે. મામલામાં પ્રક્રિયા ઘણી આગળ વધી ચૂકી છે અને બેન્કને રૂપિયા પાછા મેળવવાની આશા છે. માનવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં વધુ બેન્કો બીપીએસએલની છેતરપિંડી વિશે સૂચના આપી શકે છે. કેમકે એપ્રિલમાં સીબીઆઇ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં કેટલીક અન્ય બેન્કો પણ સામેલ છે.