PM મોદીએ યૂએનજીએમાં સંબોધન પૂર્ણ કર્યું તે તરત જ તેમને અભિનંદન આપવા અને તેમની સાથે સેલ્ફી લેવા માટે લોકો ઉમટી પડ્યા હતા. PMOએ પીએમનો આ ફોટો ટ્વિટ કર્યો છે.
પીએમ મોદી સાથે સેલ્ફી લેનારા લોકોની લાઈન
પીએમના ભાષણ બાદ લોકોએ આપ્યા અભિનંદન
PMOએ ટ્વિટ કર્યો અધિકારીઓ અને લોકોથી ઘેરાયેલો પીએમનો ફોટો
Congratulatory messages pour in after the @UN General Assembly speech and so do the selfie requests.
PM મોદીએ યૂએનજીએમાં સંબોધન પૂર્ણ કર્યું કે તરત જ અભિનંદન આપનારાની લાઈન લાગી અને સાથે તેમની સાથે સેલ્ફી લેવાનો પણ અનેક લોકોએ અનુરોધ કર્યો. PMOએ પીએમના યૂએનજીએના ભાષણ બાદ તેમની ચારે તરફના ચાહનારા લોકો અને અધિકારીઓનો ફોટો ટ્વિટ કર્યો છે. જે લોકોએ પીએમનું ભાષણ સાંભળ્યું તેઓએ પીએમને વ્યક્તિગત રીતે પણ અભિનંદન પાઠવ્યા હતા.
અમારા અવાજમાં ફક્ત ગંભીરતા જ નથી, આક્રોશ પણ હોય છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ શુક્રવારે યૂએનજીએના 74મા સત્રને સંબોધિત કર્યું હતું. પોતાની બુલંદ અવાજમાં તેઓએ કહ્યું કે ભારતે દુનિયાને યુદ્ધનો નહીં પણ શાંતિનો સંદેશ બુદ્ધ આપ્યા છે. આતંકવાદ વિરુદ્ધ દુનિયાને જણાવતા કહ્યું કે અમારા અવાજમાં ફક્ત ગંભીરતા જ નથી, આક્રોશ પણ હોય છે. પીએમએ આક્રોશનો સંદર્ભ અપ્રત્યક્ષરૂપે પાકિસ્તાનના સમર્થિત તત્વો દ્વારા ભારતમાં આતંકવાદી ઘટનાઓ પર કર્યો હતો. પીએમએ કહ્યું કે આતંકવાદના મુદ્દા પર વિભાજિત દુનિયા એ સિદ્ધાંતને નુકસાન કરે છે જેની પર સંયુક્ત રાષ્ટ્રનું નિર્માણ થયું છે. તેઓએ વિશ્વને માનવતા માટે આતંકવાદની વિરુદ્ધ ભેગા થવાનું પણ સંબોધન કર્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે ભારતે દુનિયાને યુદ્ધ નહીં પણ બુદ્ધ આપ્યા છે..શાંતિનો સંદેશ. આ માટે અમે આતંકવાદ વિરુદ્ધ અવાજ ઉઠાવીએ છીએ તો તેમાં ગંભીરતાની સાથે આક્રોશ પણ હોય છે.