કોરોનાના વધતા કેસને લઈ ગાંધીનગરથી એકા એક સચિવોની નિમણૂક કરાઈ છે. મનપા ક્ષેત્રમાં 5 વરિષ્ઠ સચિવોને જવાબદારી સોંપાઈ છે.
રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો
વેક્સિનેશન સેન્ટ્ર રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
4 મનપા ક્ષેત્રમાં વરિષ્ઠ સચિવોને જવાબદારી સોંપાઈ
રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વેક્સિનેશન સેન્ટર રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. તો આ સાથે મનપા ક્ષેત્રમાં 5 વરિષ્ઠ સચિવોને જવાબદારી સોંપાઈ છે. જેમાં અમદાવાદની જવાબદારી ડો.રાજીવ ગુપ્તાને સોંપાઈ છે.
તો મિલિંદ તોરવણે, વિનેદ રાવને વડોદરાની જવાબદારી આપવામાં આવી છે. આ સાથે રાહુલ ગુપ્તાને રાજકોટની જવાબદારી સોંપાઈ છે. અને સુરતની જવાબદારી એન.થેન્નારસનને સોંપવામાં આવી છે. જે સચિવોને કામગીરી આપવામાં આવી તેમના દ્વારા સ્થાનિક તંત્રને માર્ગદર્શન અપાશે.
રિવરફ્રન્ટ કર્યો બંધ
અમદાવાદમાં કોરોનાના વધતા કેસ બાદ તંત્ર સક્રિય બન્યું છે. ત્યારે AMC દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય કરાયો છે. જેમાં રિવરફ્રન્ટ વોક-વે પણ નાગરિકો માટે રહેશે બંધ રખાશે. મહત્વનું છે કે, રિવરફ્રન્ટ પર વોક-વે પર સાયકલિંગ કરતા હોય છે. જેના માટે પણ હવે પ્રતિબંધ કરાયો છે. સાથે બાયોડાયવર્સિટી પાર્ક પણ બંધ કરવામાં આવશે. આવતીકાલથી તમામ પબ્લિક પ્લેસ બંધ કરવામાં આવશે.
કોરોનાના ગુજરાતમાં કેસના આંકડા
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1122 નવા દર્દી જ્યારે 775 દર્દીઓ સાજા થયાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 3 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.
અમદાવાદના મેયરે લોકોને કરી અપીલ
અમદાવાદમાં કોરોનાના વધતા કેસને લઇને મેયરે અપીલ કરી છે. કોરોના મામલે અમદાવાદ મેયરની જનતાને અપીલ કરતા જણાવ્યુ છે કે, નાગરિકો બિનજરૂરી મેળાવડા ટાળે. તેમજ નાગરિકો માસ્ક પહેરે, સામાજિક અંતરનું પાલન કરેનાગરિકો માસ્ક પહેરે, સામાજિક અંતરનું પાલન કરે. આ સાથે અમદાવાદ કોર્પોરેશન દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી રહી છે.
PM મોદીએ પણ કોરોનાના વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી
દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને રસીકરણ અભિયાન પર વધુ જોર આપવા મુદ્દે અપીલ કરી હતી. ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તાબડતોબ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.