ખેડૂત આંદોલને લઈને વડાપ્રધાન મોદીની મંત્રણાની ઓફર બાદ ખેડૂત નેતાનું એક મોટું નિવદેન આવ્યું છે.
કૃષિ કાયદાની સામે આંદોલન કરી રહેલા ખેડૂતો સરકાર સાથે મંત્રણા માટે તૈયાર થયા છે.
ખેડૂત નેતાઓએ સરકારને મંત્રણાની તારીખ અને સમય નક્કી કરવાનું જણાવ્યું
અમે સરકારી મંત્રણાનો કદી પણ ઈન્કાર કર્યો નથી- ખેડૂત નેતા શિવ કુમાર કક્કા
ખેડૂત સંગઠનોએ સોમવારે એવી જાહેરાત કરી કે અમે સરકાર સાથે મંત્રણા માટે તૈયાર છીએ. ખેડૂત નેતાઓએ સરકારને મંત્રણાની તારીખ અને સમય નક્કી કરવાનું પણ જણાવી દીધું છે.
સામયુક્ત કિસાન મોરચાના સિનિયર સભ્ય ખેડૂત નેતા શિવ કુમાર કક્કાએ કહ્યું કે અમે હવે પછીની મંત્રણા માટે તૈયાર છીએ. અમે સરકારને મંત્રણાની તારીખ અને સમય જણાવવાનું કહીએ છીએ. તેમણે કહ્યું કે અમારુ વલણ સ્પસ્ટ છે. ત્રણ કાયદા પાછા ખેંચવાની અમારી માગ છે. આ આંદોલનમાં ભાગ લેનાર તમામ ખેડૂત સંગઠનો એકજૂટ છે.
સરકારે જ્યારે પણ મંત્રણા માટે બોલાવ્યાં ત્યારે આવ્યા જ છીએ
કક્કાએ કહ્યું કે અમે સરકારી મંત્રણાનો કદી પણ ઈન્કાર કર્યો નથી. જોકે સરકારે જ્યારે પણ અમને મંત્રણા માટે બોલાવ્યાં છે ત્યારે અમે આવ્યા જ છીએ.
ખેડૂતો અને સરકાર વચ્ચે 11 વાર મંત્રણા
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમા ખેડૂતો અને સરકાર વચ્ચે 11 વાર મંત્રણા થઈ ચૂકી છે છતાં પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
બીકેયુ એકતા સંગ્રામના જનરલ સેક્રેટરી સુખદેવ સિંહે એવું જાણવા માગ્યું કે સરકાર શા માટે લઘુતમ ટેકાના ભાવની કાનૂની ગેરન્ટી આપતી નથી અને તેમનો આરોપ છે કે સરકાર આ મુદ્દાથી ધ્યાન ભટકાવી રહી છે. ખેડ઼ૂત નેતા બલદેવ સિંહે પણ જણાવ્યું કે સરકારે આ કાયદા પાછા ખેંચવા જોઈએ અને ખેડૂતોને એમએસપીની કાનૂની ગેરન્ટી આપવી જોઈએ.