પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક બાદ હવે રાહુલ ગાંધીની સુરક્ષા વ્યવસ્થામાં પણ ગંભીર ચૂકનો મામલો સામે આવ્યો છે.
પંજાબમાં રાહુલ ગાંધીની સુરક્ષા પર ગંભીર ચૂક
યુવાને કર્યો અટકચાળો, રાહુલ પર ફેંક્યો કોંગ્રેસનો ઝંડો
લુધિયાણામાં બની ઘટના, મચ્યો ખળભળાટ
આ પહેલા પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં પણ ચૂક સામે આવી ચૂકી છે
પંજાબમાં પ્રધાનમંત્રી મોદી બાદ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સુરક્ષામાં પણ ગંભીર ચૂકનો મામલો પ્રકાશમાં આવતા ખળભળાટ મચ્યો છે. સીએમ ઉમેદવારની જાહેરાત કરવા આવેલા લુધિયાણા આવેલા રાહુલ ગાંધીની પર એક યુવાને અટકચાળો કરીને તેમની પર કોંગ્રેસનો ઝંડો ફેંક્યો હતો. રવિવારે હલવારાથી લુધિયાણા જઈ રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર એક યુવકે ઝંડો ફેંક્યો હતો.
રાહુલ ગાંધી CM ઉમેદવારની જાહેરાત કરવા લુધિયાણા આવ્યાં
રાહુલ ગાંધી રવિવારે લુધિયાણામાં કોંગ્રેસના આગામી સીએમ ચહેરાની જાહેરાત કરવા પહોંચ્યા હતા. તે બપોરે 12.30 વાગ્યે હલવારા એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતો. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, પાર્ટી અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ, પૂર્વ પ્રધાન સુનીલ જાખડ, પાર્ટીના પંજાબ પ્રભારી હરીશ ચૌધરી, શ્રી ફતેહગઢ સાહિબના સાંસદ ડો.અમરસિંહ બોપારાઇ, મંત્રી ભારત ભૂષણ આશુ, રાયકોટથી પાર્ટીના ઉમેદવાર અમરસિંહ બોપારાઇએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાહુલનો કાફલો લુધિયાણા જવા રવાના થયો હતો.
યુવાને કોંગ્રેસનો ઝંડો રાહુલ તરફ ફેંક્યો, રાહુલે કર્યો બચવાનો પ્રયાસ
આ દરમિયાન જ્યારે રાહુલનો કાફલો હર્ષિલા રિસોર્ટની બહાર પહોંચ્યો તો ત્યાં કેટલાક યુવાનો કોંગ્રેસનો ઝંડો લઈને ઉભા હતા. યુવકને જોઈને કારની આગળની સીટ પર બેઠેલા રાહુલ ગાંધીએ કારનો કાચ નીચે ઉતાર્યો, ત્યારબાદ એક યુવકે આગળ આવીને હાથમાં રહેલો ઝંડો ગોળ કરીને રાહુલ ગાંધી પર ફેંક્યો. ઝંડો ફેંકાતા રાહુલે બચવાનો પ્રયાસ કર્યો અને માથુ નીચે કરી દીધું હતું, ઝંડો કારમાં પડ્યો હતો. આ ઘટના દરમિયાન નવજોત સિદ્ધુ અને ચરણજીત ચન્ની પણ તે સમયે કારમાં પાછળની સીટ પર બેઠા હતા.
5 જાન્યુઆરીએ પીએમ મોદીના કાફલા સામે પ્રદર્શનકારીઓ આવ્યા હતા
પીએમ નરેન્દ્ર મોદી અહીં 5 જાન્યુઆરીએ ફિરોઝપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરવા માટે આવ્યા હતા. ખરાબ હવામાનના કારણે તેઓ રોડ માર્ગે બાથિંડા એરપોર્ટથી રવાના થયા હતા, પરંતુ ફિરોઝપુરના પ્યારેણા ગામ પાસે રોડ બ્લોકના કારણે તેઓ લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર રોકાયા હતા અને ત્યારબાદ તેમનો કાફલો પરત ફર્યો હતો. આ પછી, તેમણે અધિકારીઓને તેમના મુખ્ય પ્રધાનનો આભાર માનવા કહ્યું હતું કે હું બઠિંડા એરપોર્ટ પર જીવતો પાછો ફરી શક્યો છું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેને પીએમની સુરક્ષામાં ચૂક ગણાવી હતી. જો કે સીએમ ચન્ની સહિત સમગ્ર કોંગ્રેસે આ મામલે આક્રમક વલણ અપનાવતા તેને પંજાબને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું.