ગાંધીનગર રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત પ્રવાસે
આજે સાંજે 4 વાગ્યે અમિત શાહ પહોંચશે અમદાવાદ
ગાંધીનગરમાં યોજાનારી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે
PM મોદી આજથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. જેની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ ગુજરાત મુલાકાતને લઇને પ્રદેશ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. અને, બંને દિગ્ગજોના આગમનની તડામાર તૈયારીઓ કરી છે.
PMમોદી સાથે અમિત શાહ પણ આવશે ગુજરાત
મહત્વનું છે કે, ગાંધીનગર રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાંજે 4 વાગ્યે અમદાવાદ પહોંચશે. સાંજે 6 કલાકે તેઓ બેઠકમાં હાજરી આપશે.
આજે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં લેશે ભાગ
આજે સાંજે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચશે, ત્યારબાદ તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે. ગાંધીનગર રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળવાની છે.
આવતીકાલે કોચરબ આશ્રમની મુલાકાત
ગૃહમંત્રી અમિત શાહ 12 માર્ચે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કેન્દ્રીય ગૃહમંત્રી હાજર રહેશે. આ દરમિયાન અમિત શાહ રક્ષા શક્તિ યુનિ.ના લોકાર્પણ-પદવીદાન કાર્યક્રમમાં સંબોધન કરશે. આ ઉપરાંત 12 માર્ચે અમદાવાદમાં કોચરબ આશ્રમની અમિત શાહ મુલાકાત લેશે. કોચરબ આશ્રમ ખાતે સાયકલ રેલીને અમિત શાહ પ્રસ્થાન કરાવશે. અમિત શાહ 12 માર્ચે રાત્રે જ દિલ્હી જવા રવાના થશે.