ભારતને 3 બોલમાં 6 રનની જરૂર હતી. એ સમયે કાર્તિક તરફ જોઈને હાર્દિક પંડ્યાએ 'કાલીન ભૈયા' જેવી પ્રતિક્રિયા આપી હતી. જે હાલ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે.
પાકિસ્તાને ભારતને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો
મેચના છેલ્લી ઓવરનું રીએક્શન વાયરલ
એ સમયે ભારતને 3 બોલમાં 6 રનની જરૂર હતી
એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયાએ પોતાના અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી હતી. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી મેચમાં ભારતે પોતાના હરીફ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવી નાખ્યું. પાકિસ્તાને ભારતને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે બે બોલ બાકી રહેતા પૂરો કરી દીધો હતો. આ જીત સાથે ભારતે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ દરમિયાન મળેલી હારનો બદલો લીધો હતો.
મેચમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે ભારત પર પાકિસ્તાનની ટીમ હાવી થવા લાગી હતી પણ હાર્દિક પંડયા અને જાડેજાએ શાનદાર સજેદારી કરીને ટીમને જીત અપાવી હતી. જો કે જાડેજા છેલ્લા ઓવરમાં 35 રન બનાવીને આઉટ થઈ ગયા હતા પણ પંડયા ટકી રહ્યા હતા અને ભારતને જીત અપાવી હતી.
છેલ્લા ઓવરનું રીએક્શન વાયરલ
છેલ્લી ઓવરમાં ભારતને જીતવા માટે સાત રનની જરૂર હતી. મોહમ્મદ નવાઝે પહેલા બોલ પર જાડેજાને આઉટ કર્યો હતો. આ પછી પંડ્યા ત્રીજા બોલ પર શોટ રમવા માંગતો હતો પરંતુ તેને ફિલ્ડરે રોક્યો હતો.એ સમયે પંડયા સાથે બીજો ખેલાડી દિનેશ કાર્તિક હતો અને એ સમયે ભારતને 3 બોલમાં 6 રનની જરૂર હતી. એ સમયે કાર્તિક તરફ જોઈને હાર્દિક પંડ્યાએ 'કાલીન ભૈયા' એટલે કે વેબ સિરીઝ મિર્ઝાપુરના પંકજ ત્રિપાઠી જેવી પ્રતિક્રિયા આપી હતી. જે હાલ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. લોકો હાર્દિકની આ પ્રતિક્રિયાને ખૂબ શેર કરીને તેના આત્મવિશ્વાસના વખાણ કરી રહ્યા છે. નવાઝના ચોથા બોલ પર હાર્દિકે સિક્સર ફટકારીને દેશને જીતની ભેટ આપી હતી.
કેવો રહ્યો મેચનો હાલ
બોલરોની ઘાતક બોલિંગે પાકિસ્તાનીઓને પ્રેશરમાં રાખ્યા હતા. જેના પરિણામે આખી ટીમ 19.5 ઓવરમાં જ માત્ર 147 રન બનાવીને સમેટાઇ ગઈ. ભુવનેશ્વર કુમારે બાબર આઝમને આઉટ કરીને પાકિસ્તાનને પહેલી સફળતા અપાવી. જ્યારબાદ ભારતીય બૉલર્સની શાનદાર બોલિંગના કારણે પાકિસ્તાન પાછું ધકેલાયું હતું. ભુવનેશ્વરે સૌથી વધુ ચાર અને હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. ભારતે શાનદાર પર્ફોમન્સ કરતા પાકિસ્તાનને 5 વિકેટથી હરાવી દીધું હતું. 148 રનના ટાર્ગેટને ભારતીય ટીમે 19.4 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.