બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / VIDEO : દેશમાં એક તરફ શોકનો માહોલ, ત્યારે ભાજપનો મહિલા મોરચો ઉજવણીમાં વ્યસ્ત
Last Updated: 11:19 AM, 26 April 2025
દેશભરમાં પહેલગામ આતંકી હુમલા બાદ શોકનો માહોલ છે. આ દરમ્યાન રાજકોટ મહિલા મોરચાએ પૂ્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરતા અનેક સવાલો ઉભા થયા છે. 26 નિર્દોષ લોકોને આતંકીઓએ ગોળીઓથી વિંધી નાંખ્યા તે વાતથી આખો દેશ આઘાતમાં છે ત્યાં ભાજપ મહિલા મોરચો કઇ રીતે આમ જન્મ દિવસની ઉજવણી કરી શકે તે વાત ચર્ચાનો વિષય બની છે.
ADVERTISEMENT
સૌથી પહેલા રાજકોટના કિસાનપરા વિસ્તારમાં પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જે બાદ મહિલા મોરચાની બહેનો કેક લઇને અંજલિબેન રૂપાણીના ત્યાં પહોંચ્યા હતા. મહિલા મોરચાની બહેનોની સાથે ધારાસભ્ય ડો. દર્શિતા શાહ અને મહિલા કોર્પોરેટરો પણ જન્મદિવની ઉજવણીમાં મસ્ત જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયામાં જન્મદિવસની ઉજવણીના ફોટા વાયરલ થયા છે. જેની લોકો ખુબ ટીકા કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 'ઓનર કિલિંગ'ની ઘટના, પ્રેમ સંબંધ મંજૂર ન હોવાથી બાપે દીકરીનું ગળું દબાવી કરી હત્યા
ADVERTISEMENT
<iframe src="https://www.facebook.com/plugins/video.php?height=314&href=https%3A%2F%2Fwww.facebook.com%2Fvtvgujarati%2Fvideos%2F1018508896493268%2F&show_text=false&width=560&t=0" width="560" height="314" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowfullscreen="true" allow="autoplay; clipboard-write; encrypted-media; picture-in-picture; web-share" allowFullScreen="true"></iframe>
આ ઉજવણીને લઇને અનેક સવાલો ઉભા થયા છે.
દેશભરમાં શોકના માહોલ વચ્ચે જન્મદિવસની ઉજવણી કેટલી યોગ્ય?
કેમ ન જળવાયો 26 નિર્દોષ લોકોના મોતનો મલાજો?
સંવેદનશીલ સરકારના જન પ્રતિનિધિઓ કેમ ઉજવણીમાં મશગૂલ?
શું સમાજને નેતૃત્વ પુરુ પાડનારા ભૂલ્યા સમાજિક જવાબદારી?
એકબાજુ મુખ્યમંત્રીના કાર્યક્રમો રદ થયા તો બીજી બાજુ ઉજવણીનો માહોલ?
સ્વાર્થી નેતાઓને પીડિતોની વેદના કેમ નથી અનુભવાતી?
શું સત્તા પાર્ટીના નેતાઓ સાંત્વના આપવાનો કરી રહ્યા છે ઢોંગ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.