ગુજરાતમાં પાટીદાર, ઓબીસી અને હવે ક્ષત્રિય મુખ્યમંત્રીની માગ
કરણી સેનાના ગુજરાત પ્રદેશ પ્રમુખે ક્ષત્રિય મુખ્યમંત્રીનો ઉઠાવ્યો મુદ્દે
શંકરસિંહ, પ્રદીપસિંહ અને શક્તિસિંહના નામનો કર્યો ઉલ્લેખ
પાટીદાર, ઓબીસી, ઠાકરો સમાજ પછી હવે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ક્ષત્રિય સમાજના નેતાની પસંદગીની વાત સામે આવી છે. કરણી સેના પ્રભારી જે.પી જાડેજાએ પોતાનો મંતવ્ય આપ્યો છે. જે.પી જાડેજાએ કહ્યું કે, ગુજરાતમાં ક્ષત્રિય સમાજના કોઈ વ્યક્તિની પસંદગી થવી જોઈએ. આ સાથે તેમણે શંકરસિંહ વાઘેલા સહિત પ્રદીપસિંહ જાડેજા, શક્તિસિંહ ગોહિત સહિતના નેતાઓનો ઉલ્લેખ કર્યો છે.
શંકરસિંહ વાઘેલા વિશે કરણી સેનાએ કહ્યું કે, તેમની પાસે બહોળો રાજનૈતિક અનુભવ છે. 81 વર્ષની ઉંમરે પણ શંકરસિંહ યુવાનોને પણ શરમાવે તેવું સ્વાસ્થય જીવી રહ્યા છે. સાથે પ્રદીપસિંહ જાડેજા વિશે કહ્યું કે, તેઓ હાલમાં સરકારમાં એક ભાગ તરીકે શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે. તો પીઢ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિશે પણ વાત કરી હતી. સાથે જે.પી જાડેજાએ કહ્યું કે, ગુજરાતમાં સુશાસનને લાવવા માટે ક્ષત્રિય સમાજના નેતાને સત્તા પર લાવવા જોઈએ.
આ અગાઉ પાટીદારોની ખોડલધામ ખાતે બેઠક બાદ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું મહત્વનું નિવેદન સામે આવ્યું હતું. ખોડલધામ ખાતે પાટીદાર મુખ્યમંત્રીના મુદ્દા પર અલ્પેશ ઠાકોરે કઠોર પ્રતિક્રિયા આપી હતી. અને કહ્યું કે, અન્યાય પાટીદારને નહીં, ઓબીસી, દલિત-અદિવાસીને થયો છે. OBC, દલિત અને આદિવાસી મુખ્યમંત્રી બનવા જોઈએ. અમે મુખ્યમંત્રીની વાત કરી હોય તો જાતિવાદમાં ખપાવી દેવામાં આવે છે.
અલ્પેશે કહ્યું, અમારી પાસે ફેક્ટરી કે મોટી સંસ્થા નથી કે, જ્યાં મિટિંગ કરીએ. ધાર્મિક જગ્યા પર આ પ્રકારના વાત યોગ્ય ગણાય નહીં. પાટીદારની સંસ્થા આવી મિટિંગ કરે તે નિંદનિય છે. કેબિનેટમાં કઇ જાતિના મંત્રીઓ છે તે જાણો છો. તેવું કહીને અલ્પેશ ઠાકોરે કહ્યું કે, 8 કેબિનેટમાંથી 6 કેબિનેટ મંત્રી છે તે અન્યાય કહેવાય ?