જ્વેલરીની કંપની તનિષ્કનો સોશ્યલ મીડિયામાં વિજ્ઞાપનના કારણે ભારે વિરોધ થઇ રહ્યો છે. ટ્વિટર પર #BoycottTanishq ટ્રેન્ડ કરી રહ્યું છે અને લોકો કંપની વિરુદ્ધ ખૂબ બળાપો કાઢી રહ્યા છે.
તનિષ્ક કંપનીના એક વિજ્ઞાપન પર સોશ્યલ મીડિયામાં જોરદાર હંગામો
વિજ્ઞાપનના કારણે ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહ્યું છે #BoycottTanishq
ભારે વિવાદ બાદ કંપનીએ યુટ્યુબથી વિજ્ઞાપન હટાવી દીધું
સોશ્યલ મીડિયામાં શરુ થયો વિરોધ
ટાટા સમૂહની પ્રખ્યાત જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક દ્વારા વિજ્ઞાપન હટાવી દેવામાં આવી છે જેના પર સોશ્યલ મીડિયામાં ખૂબ હંગામો કરવામાં આવી રહ્યો છે. આ વિજ્ઞાપનના કારણે સોશ્યલ મીડિયામાં ખાસ કરીને ટ્વિટરમાં #BoycottTanishq ટ્રેન્ડ કરી રહ્યું છે. સોશ્યલ મીડિયામાં લોકોનો બળાપો જોયા બાદ હવે હવે કંપનીએ વિજ્ઞાપનને હટાવી દીધું છે.
હિંદુ મહિલાના મુસ્લિમ પરિવારમાં લગ્ન દર્શાવવામાં આવ્યા છે
નોંધનીય છે કે હાલમાં જ કંપનીએ આ વિજ્ઞાપન બહાર પાડ્યું હતું જેમાં બે અલગ અલગ ધર્મના વ્યક્તિ વચ્ચે વિવાહ દર્શાવવામાં આવ્યા છે. જે બાદ ઘણા બધા લોકોએ કંપનીને ટ્રોલ કરવાની શરૂઆત કરી. આ વિજ્ઞાપનમાં એક હિંદુ મહિલા દર્શાવવામાં આવી છે. આ મહિલાના લગ્ન મુસ્લિમ પરિવારમાં થયા છે છતાં હિંદુ સંસ્કૃતિનું ધ્યાન રાખીને પરીવારે રીતી રીવાજ કર્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
સોશ્યલ મીડિયામાં થયો ભારે ઉહાપોહ
તનિષ્ક દ્વારા આ વિજ્ઞાપનનું નામ એકત્વમ આપવામાં આવ્યું છે પણ આ એડ જોયા પછી ઘણા બધા લોકો સોશ્યલ મીડિયામાં નારાજ થઇ ગયા. આ મુદ્દામાં જ લવજીહાદનો મુદ્દો ઉછાળવામાં આવ્યો અને #BoycottTanishq ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું. વિવાદ એટલો બધો વધી ગયો કે કંપનીએ હવે તે વીડિયો યુટ્યુબ ચેનલથી હટાવી દીધો છે.
સમર્થનમાં આવી ગયા કેટલાક બુદ્ધિજીવી
જોકે ઘણા બધા લોકો આ એડના સમર્થનમાં ખુલીને આવ્યા હતા. તનિષ્કના સમર્થનમાં ઘણા બધા લોકોએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ પણ કરી. કોંગ્રેસ નેતા શશી થરુરે પણ ટ્રોલનો વિરોધ કર્યો. તેમે કહ્યું કે હિન્દુત્વ બ્રિગેડે હિંદુ મુસ્લિમ એકતા દર્શાવતી એડના કારણે તનિષ્કનો વિરોધ કરવાની માંગ કરી છે. જો હિંદુ મુસ્લિમ એકત્વમથી આટલી તકલીફ છે તો આ લોકો દુનિયામાં હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતિક ભારતનો જ બોયકોટ કેમ નથી કરતા ?
So Hindutva bigots have called for a boycott of @TanishqJewelry for highlighting Hindu-Muslim unity through this beautiful ad. If Hindu-Muslim “ekatvam” irks them so much, why don’t they boycott the longest surviving symbol of Hindu-Muslim unity in the world -- India? pic.twitter.com/cV0LpWzjda
Tanishq has officially withdrawn their ad after being trolled viciously. Here's why this is a very sad state of affairs, and context from other such ads that were trolled (and some, withdrawn) https://t.co/Nb0cSiTPHXpic.twitter.com/sn3IMBqdmC
નોંધનીય છે કે સોશ્યલ મીડિયામાં આ વિવાદ ખૂબ વધી રહ્યો છે અને ખૂબ ચર્ચા થઇ રહી છે. લોકો તનિષ્કમાંથી ખરીદીનો જ બોયકોટ કરી દેવાની માંગ કરી રહ્યા છે. જયારે ઘણા લોકો તો એમ કહી રહ્યા છે કે માત્ર ટ્રોલના કારણે તનિષ્કએ આ રીતે એડને હટાવી દેવાની જરૂર ન હતી.