બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / after out to t20 world cup 2022 team india jasprit bumrah disappointing message goes viral

ક્રિકેટ / વર્લ્ડ કપમાંથી એક્ઝિટ બાદ બુમરાહ થયો ઈમોશનલ, મેસેજ શેર કરીને ફેન્સના જીતી લીધા દિલ

Arohi

Last Updated: 03:26 PM, 4 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે બે અઠવાડીયા બાદ થવા જઈ રહેલા ટી20 વર્લ્ડ કપ પહેલા જ બહાર થઈ ગયા છે. હવે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા નિરાશા જાહેર કરી છે.

  • જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપથી બહાર 
  • પોસ્ટ શેર કરી કહી આ વાત 
  • કહ્યું ટીમનો સપોર્ટ કરતો રહેશે 

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને બેકમાં ઈજા પહોંચવાના કારણે T20 વર્લ્ડ કપમાંથી પહેલા જ બહાર થવું પડ્યું છે. પરંતુ વર્લ્ડ કપથી બહાર થવા પર પહેલી વખત બુમરાહનું નિવેદન સામે આવ્યું છે. બુમરાહ વર્લ્ડ કપમાં ન રમી શકવાના કારણે ખૂબ જ નિરાશ છે અને તેને લઈને તેનું દુઃખ પણ છલક્યું છે. 

શેર કર્યો મેસેજ 
બુમરાહે વર્લ્ડ કરથી બહાર થયા બાદ પહેલી વખત સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા પોતાની વાત મુકી છે. તેમણે ફેન્સ માટે દિલ જીતી લે તેવો મેસેજ શેર કર્યો છે. બુમરાહે કહ્યું હતું કે તે ખૂબ જ નિરાશ છે. પરંતુ ટીમને સપોર્ટ કરતો રહેશે. 

ખૂબ દુઃખી છું કારણ કે...
બુમરાહે મંગળવારે ટ્વીટ કહ્યું, "હું ખૂબ જ દુઃખી છું. કારણ કે આ વખતે ટી20 વર્લ્ડ કપનો ભાગ નહીં બનું. પરંતુ મારા પ્રિયજનો પાસેથી મને જે શુભકામનાઓ અને સપોર્ટ મળી રહ્યો છે. તેનો હું આભારી છું. જેવો હું ઠીક થઈ જઈશ. તેવું ઓસ્ટ્રેલિયામાં પોતાના અભિયાનમાં જારી રહેનાર ટીમ ઈન્ડિયાને ચીયર કરીશ."

BCCIની આશાને લાગશે મોટો ઝટકો 
ભારતીય ક્રિકેટ બોર્ડે સોમવારે કહ્યું હતું કે બુમરાહ આઈસીસી T20 વર્લ્ડ કપમાં નહીં રહી શકે જે ભારત માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. બુમરાહની અનુપસ્થિતિ નિશ્ચિત રીતે ઓસ્ટ્રેલિયામાં ભારતની સંભાવનાઓને પ્રભાવિત કરશે. કારણ કે ડેથ ઓવરની બોલિંગ હાલ ટીમ માટે ખૂબ જ મોટી ચિંતાનો વિષય છે. 

આ બોલર નેશનલ ક્રિકેટ એકેડમીમાં સારવાર કરાવી રહ્યો છે અને બીસીસીઆઈ તેના મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહ્યું હતું. પરંતુ આ નક્કી ન હતું કે આવતા ઘણા મહિનાઓ સુધી ક્રિકેટ નહીં રમવામાં આવે. બુમરાહને પીઠમાં દુખાવાના કારણે સાઉથ આફ્રીકા વિરૂદ્ધ વર્તમાન ટી20 સીરીઝથી બહાર થવું પડ્યું હતું. 

ચારથી છ મહિનાઓ સુધી બહાર રહેવું પડે છે 
બુમરાહ પહેલા પણ પીઠ દર્દથી પરેશાન રહ્યા છે. તેમણે 2019માં આ કારણે ત્રણ મહિના સુધી બહાર રહેવું પડ્યું હતું. પરંતુ આ વખતે તેમણે ચારથી છ મહિના સુધી બહાર રહેવું પડી શકે છે. બુમરાહે આ વર્ષે ભારતની તરફથી ત્રણ ફોર્મેટમાં પાંચ-પાંચ મેચ, જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની તરફથી તેણે 14 મેચ રમી. 

સંકળાયેલા મુદ્દાઓ

India Jasprit Bumrah message t20 world cup 2022 viral  જસપ્રિત બુમરાહ t20 world cup 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ