ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાંથી OBC અનામત હટાવતા વિવાદ સર્જાયો છે. રાજ્ય ચૂંટણી આયોગના સચિવે તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર લખ્યો છે, જેમાં OBC રિઝર્વ બેઠકોને સામાન્ય બેઠકો જાહેર કરીને ચૂંટણીના જાહેરનામા સંબંધિત તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ કરાયો છે. પંચાયતોની ચૂંટણીમાંથી OBCનો છેદ ઉડાડી દેતા વહિવટી તંત્રમાં તેની અમલવારીને લઈને ઉહાપોહ પણ મચ્યો છે. તો બીજી બાજુ રાજકીય નેતાઓ 10 ટકાને બદલે 27 ટકા OBC અનામતની માગ કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય પૂજા વંશે CMને પત્ર લખીને બંધારણ સાથે ચેડાં કર્યાનો આરોપ કર્યો છે. તો બીજી બાજુ રાજ્ય સરકારે કેન્દ્રીય ચૂંટણી પંચે, સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કર્યુ હોવાનું કહ્યુ છે.
ધારાસભ્ય પૂંજા વંશએ OBC સમાજને અનામતનો લાભ મળે તે દિશામાં માંગ ઉઠાવ્યા બાદ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પણ OBC સમાજને અનામત 10 ટકાને બદલે 27 ટકા મળે તેવી માંગ ઉઠાવી છે તેવામાં હવે ભાજપના પાટીદાર નેતા વરૂણ પટેલે પણ ટ્વીટ કરીને EWS કેટેગરીમાં પણ ચૂંટણીમાં અનામત અપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. જ્યારે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી ચૂંટણીમાં EWS વર્ગને અનામત આપવાની માંગ બુલંદ કરતાં ચર્ચા જાગી છે.
OBC સમાજને અનામત મામલે ઉનાના ધારાસભ્ય પૂંજા વંશએ માંગ ઉઠાવી
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં OBC અનામતને લઇને ઉનાના ધારાસભ્ય પૂંજા વંશએ CMને પત્ર લખ્યો છે. જેમાં પૂંજા વંશે પત્રમાં જણાવ્યું કે, 'ચૂંટણીપંચે કલેક્ટરને પાઠવેલા પત્ર મુજબ 10 ટકા OBC અનામત નહીં રહે. 2021માં મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશે OBC અનામતના અમલ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને સમિતિ રચી વસ્તીના આધારે માપદંડ નક્કી કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ 6 મહિના બાદ પણ રાજ્ય સરકારે કોઈ કાર્યવાહી કરી ન હતી. તેમજ આક્ષેપ પૂંજા વંશે જણાવ્યુ હતું કે, 3252 ગ્રામ પંચાયતમાં 10 ટકા અનામતનો લાભ નહીં મળે. આથી ઉનાના ધારાસભ્ય પૂંજા વંશએ OBC રીઝર્વેશનનું પ્રમાણ, બેઠકનો પ્રકાર અને રોટેશન સંદર્ભે તાત્કાલિક કમિશન રચવા માંગ કરાઇ છે. સાથે જ OBC સમાજને અનામતનો લાભ મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી છે.
OBC અનામત 10 ટકા બદલે 27 ટકા મળવી જોઈએ : અલ્પેશ ઠાકોર
આ મમલે OBC 10 ટકા અમલવારીના નિર્ણય પણ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પોતાની ચિત્ર સ્પષ્ટ કરતા કહ્યું કે, કમિશનનો કોઈ રિપોર્ટ આવ્યો નથી અને સંવિધાન સાથે ચેડા છે, જેમાં OBC વર્ગનું પ્રતિનિધિત્વ આવે છે, જેમાં OBC વર્ગના પ્રતિનિધિત્વ સામે અંન્યાય કહેવાય માટે 10 ટકા બદલે 27 ટકા અનામત મળવી જોઈએ, આ મુદે સરકાર ગંભીરતાથી વિચારી રહી હોવાનું કહી રહ્યા છે. જો કે ચૂંટણીપંચે એક તરફ નિણર્ય કર્યો છે, આ નિણર્ય રદ્દ કરવો જોઈએ તેવી માંગ ઉઠાવી છે.
EWS કેટેગરીમાં પણ ચૂંટણીમાં અનામત માટે માગ
બીજી બાજુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનામત મામલે ભાજપના પાટીદાર નેતા વરૂણ પટેલ પણ EWS ને અનામત આપોની માંગ સાથે આવ્યા છે. EWS પણ પછાત કેટેગરી છે તેમ ઉમેરી વરૂણ પટેલે જણાવ્યુ કે SC-ST, OBC સમાજને અનામત આપો છો તો EWS ને કેમ નહિ ? તે અંગે ટ્વિટ કર્યું છે. તેમણે જણાવ્યુ કે સરકાર દ્વારા રોજગારી, શિક્ષણમાં તો EWS ના લાભો મળે જ છે. તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ અનામત આપવાની દિશામાં સરકાર અને ચુંટણી પંચે પગલાં લેવા જોઇ તેવું વરુણ પટેલે જણાવ્યુ હતું.
પ્રિય મિત્ર શ્રી @AlpeshThakor_ જીએ ગ્રામ પંચાયત ની ચૂંટણી માં @CEOGujarat દ્વારા #OBC ને અન્યાય થાય એવી બેદરકારી થઈ એવું કહ્યું, મને ખબર નથી બંધારણીય રીતે શું જોગવાઈ છે ? હવે જો તમે SC. ST. OBC. ને પંચાયત ની ચૂંટણી માં અનામત આપતા હોવ તો EWS પણ પછાતવર્ગ છે એને પણ ૧૦% અનામત આપો🙏
પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ચૂંટણીમાં EWS વર્ગને અનામત મામલે પાટીદાર નેતા દિનેશ બાંભણિયા પણ મેદાને ઉતાર્યા છે. તેમણે આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યુ છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EWS અનામત આપવી જરૂરી છે. આ અંગે કમિશન રચીને EWSને અનામત આપવા માંગ ઉઠાવવામાં આવી છે. ભારત સરકારે બંધારણીય રીતે EWSને અનામત જાહેર કરી છે. આ અંગે પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે.
અમિત ચાવડાએ મુખ્યમંત્રીને તાત્કાલિક કમિશન રચવાની માંગ કરી
ગ્રામ પંચાયત ચૂંટણીમાં OBC હટાવવાનો મામલે હવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાનો CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં અમિત ચાવડાએ મુખ્યમંત્રીને તાત્કાલિક કમિશન રચવાની માંગ કરી છે. ચાવડાએ કહ્યું કે, SCના આદેશ બાદ સરકારે 6 મહિના સુધી કામગીરી ન કરી. રાજ્ય સરકારના તઘલખી નિર્ણયનો ભોગ OBC સમાજ બનશે. ભાજપની OBC સમાજને હાંસિયામાં ઘકેલી દેવાની નીતિ.
નોંધણીય છે કે, વર્ષ 2021ના અંતમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામતના અમલીકરણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઇ હતી.આથી, સુપ્રીમ કોર્ટે 19 જાન્યુઆરી 2022 ના રોજ દેશના તમામ રાજ્યોને આ નિર્ણય કરવાની ફરજ પાડવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમના ચુકાદાના છ મહિના બાદ પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આથી હવે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે ગુજરાતમાં હવેથી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પંચાયત અધિનિયમ 1993થી અમલમાં રહેલા અન્ય પછાત વર્ગો OBC માટે 10 ટકા બેઠકો અનામત નહીં રહે ત્યારે હવે ભાજપ અને કોગેસ અન્ય રાજ્યો માફક ગુજરતમાં અનામત અગે રજૂઆત રાજ્ય સરકારને કરી રહ્યું છે.