બાલિકા વધુ જેવી લોકપ્રિય સિરિયલમાં કામ કરેલ અભિનેતા બનશે તારક મહેતા
ટીવી સિરિયલોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતો શો એટલે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ શોમાં જોવા મળતા તમામ કલાકારો ખૂબ જ ખાસ છે. આ શોના કારણે તેની સ્ટારકાસ્ટે ઘર ઘરમાં અલગ ઓળખ મેળવી છે. જ્યાં લોકો આ શોમાં દયાબેનની વાપસીની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ શોના અન્ય એક મહત્વપૂર્ણ પાત્ર શૈલેષ લોઢાએ શો છોડવાનો નિર્ણય લઈ લીધો હતો.
— Taarak Mehta Ka Ooltah Chashmah (@TMKOC_NTF) August 22, 2022
કોન્ટ્રાક્ટને કારણે કલાકારો નાખુશ
જો કે શૈલેષ લોઢાના શો છોડતી સમયે અભિનેતા અને પ્રોડ્યુસર અસિત મોદી વચ્ચે ઘણી બોલાચાલી થઈ હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર શૈલેષના અલગ થવા પાછળ નિર્માતા અસિત મોદીનો કોન્ટ્રાક્ટ છે. કોન્ટ્રાક્ટ મુજબ, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકારો જ્યાં સુધી શો કરી રહ્યા છે ત્યાં સુધી અન્ય કોઈ કામ કરી શકતા નથી, પછી ભલે તેઓ મહિનાના 17 દિવસે ફ્રી હોય. આ જ કારણ છે કે ઘણા કલાકારો શોથી ખુશ નથી અને કેટલાકે તો શો છોડી દીધો છે.
નવા તારક મહેતા
શૈલેષ લોઢાના શો છોડ્યા પછી પ્રોડક્શન હાઉસ નવા તારક મહેતાની તલાશ કરી રહ્યા હતા. હાલ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શો માટે નવા તારક મહેતા મળી ગયા છે. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો ટીવી જગતમાં ઘણી સિરિયલો અને શોમાં કામ કરી ચૂકેલ જૈનીરાજ પુરોહિત તારક મહેતાના કિરદારમાં નજર આવશે. તમને જણાવી દઈએ કે તેમને બાલિકા વધુ જેવી લોકપ્રિય સિરિયલમાં કામ કરેલ છે. આ સાથે જ ઘણી બોલીવુડની ફિલ્મોમાં પણ તેને કામ કર્યું છે.
કોઈના જવાથી આ શો અટકશે નહીં
જો કે હજુ શો ના મેકર્સે આ વિશે કોઈ અધિકારીક નિવેદન બહાર પાડ્યું નથી. દિશા વાકાણી પછી તારક મહેતાનાં શૈલેશ લોઢાએ શો છોડી દીધો અને શૈલેશ બીજા શો માં નજર આવશે. શૈલેશનાં શો છોડવાની વાત પર અસિત મોદી બોલ્યા હતા કે 'કોઈના જવાથી આ શો અટકશે નહીં. જો જુના તારક પાછા આવે તો સારું છે બાકી નવાં તારક જરૂર આવશે.'