મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં વીજ બિલ બાકી હોવાને કારણે પરેશાન થતાં એક ખેડૂતે આત્મહત્યા કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધિત સુસાઇડ નોટમાં ખેડૂતે પોતાના અંગો વેચવાનું અને વીજળી વિભાગનું દેવું ચુકવવાનું કહ્યું છે.
મધ્ય પ્રદેશના ખેડૂતની કરુણાંતિકા
વીજબિલ વધુ આવતા ગળેફાંસો ખાઇને કર્યો આપઘાત
પાક બગડતા વીજ બિલ ભરી શકે તેમ નહોતો
માતાગુવા ગામમાં રહેતા 35 વર્ષીય મુનેન્દ્ર રાજપૂતે ગળેફાંસો ખાઇને મોતને વહાલુ કરી લીધું હતું. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ મુનેન્દ્રનો પાક બગડ્યો હતો. આને કારણે તે વીજળીનું બિલ ભરી શકે તેમ નહોંતો.
87 હજારનું વીજ બિલ ભરવા માટે તંત્રએ ફટકારી હતી નોટિસ
જો કે, આ મામલે વીજ વિભાગના અધિકારીઓએ નોટિસ ફટકારી હતી અને બાકી રહેલા 87 હજાર જમા કરાવવા જણાવ્યું હતું. તો થોડા દિવસો બાદ મુનેન્દ્રની લોટ દળવાની મિલ અને મોટરસાયકલ વીજ વિભાગ દ્વારા કબજે કરવામાં આવી. તેનાથી વ્યથિત ખેડૂત ખેતરમાં ગયો હતો અને ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી.
A #farmer died by suicide in Chhatarpur, In his suicide note to
he asked his family to hand over his body to the govt “to sell every part of his body and pay the dues discom officials confiscated his atta chakki and his motorcycle over power dues #FarmersProtest pic.twitter.com/upPhG5pMc1
મારા મોત બાદ શરીર સરકારને સોંપી દેવામાં આવે તેવી કરી અપીલ
આપને જણાવી દઇએ કે, ખેડૂતે આત્મહત્યા પહેલા સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેણે પીએમ મોદીને ઉદ્દેશીને લખ્યું હતું કે બાકી રહેલા વીજળી બિલ માટે વિભાગનો સ્ટાફ સતત પરેશાન કરે છે. મારી બાઇક પણ ઝૂંટવી ગયા છે. મારા મૃત્યુ પછી મારું શરીર સરકારને સોંપી દેવામાં આવશે અને મારા શરીરનો દરેક ભાગ વેચી દેવાશે અને વીજળી વિભાગનું બાકી દેવું ભરપાઈ કરવામાં આવશે.
ખેડૂતે પોતાની સુસાઇડ નોટમાં એમ પણ લખ્યું છે કે તેને ત્રણ પુત્રી અને એક પુત્ર છે, જેમાંથી અત્યારે કોઈની ઉંમર 16 વર્ષથી વધુ નથી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.