IPL 2023 સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હવે બીજા કોઈને ટીમની લીડરશીપ આપી શકે છે, જેમાં ઋતુરાજ ગાયકવાડનું નામ મોખરે છે.
IPL ને લઈને આજકાલ ઘણા સમાચાર
આવનાર સમયમાં થઇ શકે છે ટીમોમાં બદલાવ
ઋતુરાજ ગાયકવાડ બની શકે છે CSKનો નવો કેપ્ટન
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આવતા વર્ષે પણ IPL 2023 સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. IPL 2023 મહેન્દ્ર સિંહ ધોનીના કરિયરની છેલ્લી સિઝન સાબિત થઈ શકે છે. 41 વર્ષીય મહેન્દ્ર સિંહ ધોની માટે IPL 2023 પછી કેપ્ટન અને ખેલાડી તરીકે આગળ રમવું શક્ય નહીં બને. આવી સ્થિતિમાં, 25 વર્ષનો ખેલાડી CSKનો આગામી કેપ્ટન બનવાનો સૌથી પ્રબળ દાવેદાર છે.
ધોની બાદ આ ખેલાડી બની શકે છે CSKનો આગામી કેપ્ટન!
ભારતના પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના આગામી કેપ્ટનને લઈને મોટી માંગ ઉઠાવી છે. વસીમ જાફરના મતે મહેન્દ્ર સિંહ ધોની બાદ ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સનો આગામી કેપ્ટન બનાવવામાં આવી શકે છે. જણાવી દઈએ કે આઈપીએલ 2022 સીઝનની શરૂઆતમાં રવીન્દ્ર જાડેજાને ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ સતત હારને કારણે તેણે સીઝનની વચ્ચે જ કેપ્ટન્સી છોડવી પડી હતી અને ફરી એકવાર કેપ્ટન્સી મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં આવી ગઈ હતી.
અનુભવીઓએ હવેથી મોટી માંગ ઉઠાવી
પૂર્વ ભારતીય બેટ્સમેન વસીમ જાફરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, 'ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. ઋતુરાજ ગાયકવાડ યુવા ખેલાડી છે અને તેની પાસે મહારાષ્ટ્રની કેપ્ટનશિપનો અનુભવ પણ છે.
ચેન્નાઈને હવેથી કેપ્ટન તૈયાર કરવાની જરૂર છે
વસીમ જાફરે કહ્યું, 'ચેન્નઈ સુપર કિંગ્સ પણ મહેન્દ્ર સિંહ ધોની પછી આગામી કેપ્ટન તરીકે ઋતુરાજ ગાયકવાડને તૈયાર કરી શકે છે.' વસીમ જાફરે વધુમાં કહ્યું કે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ વિકેટકીપર તરીકે ડેવોન કોનવે પર વિશ્વાસ બતાવી શકે છે. ડેવોન કોનવે લાંબા સમય સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે વિકેટકીપરની ભૂમિકા ભજવી શકે છે.