મધ્યપ્રદેશ, રાજસ્થાન બાદ હવે કેરળમાં પણ બર્ડ ફ્લૂનો કહેર સતત વધી રહ્યો છે. અહીના નીંદૂરમાં બતક પાલન કેન્દ્રમાં 1500 બતકના મોત થયા છે. એકસાથે આટલા મોત બાદ તંત્ર એલર્ટ બન્યું છે અને સાથ જ ખાસ આદેશ જાહેર કર્યા છે.
MP-રાજસ્થાન બાદ કેરળમાં પણ વધ્યો બર્ડ ફ્લૂ
પ્રશાસને એલર્ટ થતાં આપ્યા ખાસ આદેશ
નીંદૂરમાં એકસાથે 1500 બતકના થયા મોત
કોરોના મહામારીની સાથે સાથે હિમાચલ, મધ્ય પ્રદેશ, રાજસ્થાનની પછી હવે કેરળમાં બર્ડ ફ્લૂનો ખતરો જોવા મળી રહ્યો છે. કેરળના કોટ્ટાયમ અને અલપ્પુઝામાં પક્ષીઓ બર્ડ ફ્લૂથી સંક્રમિત થઈને મૃત્યા પામી રહ્યા છે. જેના કારણે પ્રશાસને પ્રભાવિત વિસ્તારોમાં તેમની આસપાસ એક કિલોમીટરના વિસ્તારમાં બતક, મરઘીઓ અને અન્ય ઘરેલૂ પક્ષીઓને મારવાનો આદેશ આપવા માટે મજબૂર થવું પડ્યું છે.
નીંદૂરમાં એકસાથે 1500 બતકના થયા મોત
કોટ્ટાયમ જિલ્લા પ્રશાસને કહ્યું કે નીંદૂરમાં એક બતક પાલન કેન્દ્રમાં બર્ડ ફ્લૂ જોવા મળ્યો છે અને અહીં 1500 બતકના મોત થયા છે. સૂત્રોના આધારે મળતી માહિતી અનુસાર આ રીતે અલપ્પુઝાના કુટ્ટાનદના કેટલાક ફઆર્મ હાઉસમાં પણ બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા છે.
રાજસ્થાનમાં 170થી વધારે પક્ષીઓના મોત
રાજસ્થાનના અનેક જિલ્લામાં પક્ષીઓના મોતનો સિલસિલો ચાલી રહ્યો છે. મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લામાં 170થી વધારે પક્ષીઓના મોત થયા છે. મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે બર્ડ ફ્લૂના કેસમાં સરકાર સતત ધ્યાન રાખી રહી છે. તેને પ્રદેશમાં નહીં ફેલાવવા દે.
એમપીમાં 40000 પક્ષીઓે મારવા પડશે
અધિકારીઓએ કહ્યું કે ભોપાલમાં કરાયેલા ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે બર્ડ ફ્લૂની અસર છે. રાજ્ય પશુપાલન મંત્રીના રાજૂએ તિરુવનંતપુરમમાં કહ્યું કે સરકાર એ ખેડૂતોને વળતર આપશે જેમના ઘરેલું પક્ષીઓને બર્ડ ફ્લૂના કારણે મારી નાંખવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે એચ5એન8 વાયરસને રોકવા માટે લગભગ 40000 પક્ષીઓેને મારવા પડે તેમ છે.
હિમાચલમાં મૃત્યુ પામનાર પક્ષીઓમાં જોવા મળ્યો બર્ડ ફ્લૂ
હિમાચલમાં કાંગડામાં પોંગ બાંઘ ઝીલમાં મૃત મળેવા પ્રવાસી પક્ષી બર્ડ ફ્લથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓએ કહ્યું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેરળ બાદ હિમાચલ ચોથું રાજ્ય છે જ્યાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. ઝીલ અભયારણ્યમાં હાલ સુધી લગભગ 1800 પ્રવાસી પક્ષીઓ મૃત્યુ પામ્યા છે.
જાણો શું કહે છે પક્ષી વિશેષજ્ઞ
પક્ષી વિશેષજ્ઞોનું કહેવું છે કે પક્ષીઓ ઠંડીના કારણે મૃત્યુ પામી રહ્યા છે. માઈક્રોબાયોલોજિસ્ટ અને રાજસ્થાન યુનિવર્સિટી ઓફ વેટરનરી સાયન્સના પૂર્વ પ્રોફેસર ડો. એકે કટારિયાએ કહ્યું કે મહામારી વિજ્ઞાનમાં મોતના પેટર્નનું મૂલ્યાંકન મહત્વનું છે અને તે સૂચન કરે છે કે ઠંડીના કારણે આ મોત થયા છે. તેઓએ રિપોર્ટ જોયા નથી પણ મોતનું પેટર્ન ઠંડીની લહેર હોવાનું કહેવાઈ રહ્યું છે. કેમકે એવિયન ઈન્ફ્લૂએન્ઝાના સ્પષ્ટ લક્ષણો જોવા મળી રહ્યા છે. કટારિયાએ કહ્યું કે સૌથી વધારે મોત કાગડાના થયા છે અને પોલ્ટ્રી પક્ષીઓે હાલ સુધી કોઈ નુકસાન થયું નથી.