ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહને મળવા માટે ભૈય બાપા કર્યા બાદ ચીને પોતાનો રંગ બતાવી દીધો. હંમેશાની જેમ આ વખતે પણ ચીને પહેલા વાતચીતથી સમસ્યા ઉકેલવાનું નાટક કર્યુ અને 2 કલાકની બેઠક કર્યા બાદ જવાબદારી ભારતના માથે નાંખી દીધી. વેઈ ફેંધેએ કહ્યું કે બન્ને દેશો અને સેનાઓની વચ્ચેના સંબંધ પર સીમા વિવાદને કારણે અસર પડી છે અને આની સંપૂર્ણ જવાબદારી ભારતની છે. ફેંધે પોતે રાજનાથને મળવાનો સમય માંગ્યો હતો. બન્ને નેતાઓ મોસ્કોમાં એસસીઓ(શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન)ની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
ચીને પોતાનો રંગ બતાવી દીધો
આ વખતે પણ ચીને પહેલા વાતચીતથી સમસ્યા ઉકેલવાનું નાટક કર્યુ
2 કલાકની બેઠક કર્યા બાદ જવાબદારી ભારતના માથે નાંખી દીધી.
ચીનના રક્ષા મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીનની વચ્ચે રહેલા તણાવનું કારણ અને સત્ય બહું સાફ છે અને આની સંપૂર્ણ જવાબદારી ભારતની છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચીન પોતાના ક્ષેત્રને ગુમાવી ન શકે અને ચીની સેના રાષ્ટ્રીય સંપ્રભુતા અને અખંડતા માટે સંપૂર્ણ રીતે દ્રઢ, આત્મવિશ્વાસી અને લાયક છે. બન્ને દેશોને ચેરમેન જિંનપિંગ અને પીએમ મોદી દ્વારા બનાવાયેવી સમજૂતિ લાગુ કરવી જોઈએ અને વાતચીતથી સમસ્યા ઉકેલવી જોઈએ.
ચીને આશા વ્યક્ત કરી કે ભારત બન્ને દેશો દ્વારા કરવામાં આવેલી સમજૂતીનું પાલન કરશે. ફ્રન્ટલાઈન દળો પર નિયંત્રણ મજબૂત કરશે, એલએસી પર ઉશ્કેરણીથી બચશે, પરિસ્થિતિ વણસાવનારા એક્શનથી બચશે અને જાણીજોઈને ખોટી માહિતી ફેલાવવાથી બચશે.
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બન્ને દેશોને ભારત-ચીન સંબંધો અને ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા વિશે વિચારવું જોઈએ અને અડધા અડધો રસ્તો નક્કી કરવો જોઈએ. જેથી હાલની સ્થિતિ સામાન્ય થઈ જાય. સીમા પર શાંતિ અને સ્થિરતા કાયમ થાય. ચીની રક્ષામંત્રીએ આશા વ્યક્ત કરી છે રે બન્ને દેશો ફ્રન્ટ લાઈન દળોને જલ્દી જલ્દી હટાવી લેશે અને હાલાત વધારે જટિલ થવાથી રોકશે.