નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે ખાનગી ક્ષેત્રની બેન્કો, એનબીએફસી અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ સાથે મુલાકાત કરી. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં નિર્મલા સીતારમણે કહ્યું કે નાણાકીય સંસ્થાઓ સામે લિક્વિડિટીની કોઇ સમસ્યા નથી.
400 જિલ્લામાં ત્રણ ઓક્ટોબરથી લોન મેળાનું આયોજન
નાણામંત્રીએ કહ્યું ગ્રામીણ વિસ્તારોમાં લોનની મોટા પ્રમાણમાં માંગ
લોન મેળામાં પ્રાઇવેટ બેન્ક પણ સામેલ થશે
લોન મેળામાં પ્રાઇવેટ બેન્ક પણ થશે સામેલ
એમણે જણાવ્યું કે બેન્કોએ બેઠકમાં લિક્વિડિટીનો મુદ્દો નથી ઉઠાવ્યો. નાણામંત્રીએ કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં લોનની ભારે ડિમાન્ડ છે. આ કારણે સરકાર ગ્રામીણ વિસ્તારોમાં લોનના મેળાનું આયોજન કરવા જઇ રહી છે. લોન મેળામાં પ્રાઇવેટ બેન્ક પણ સામેલ થશે.
સરકાર તહેવારની સીઝનમાં લોનની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે દેશભરના 400 જિલ્લામાં ત્રણ ઓક્ટોબરથી 'લોન મેળા'નું આયોજન કરવા જઇ રહી છે.
રોકડ વધારવા પર ફોકસ
આ મહીને સીતારમણે કહ્યું હતું કે સરકાર એ સુનિશ્ચિત કરવા ઇચ્છે છે કે તહેવારની સીઝન દરમિયાન વધુને વધુ લોનનું વિતરણ અને બેન્કોથી રોકડનો પ્રવાહ એનબીએફસી અને ગ્રાહકો સુધી પહોંચવાની ગતિ ઝડપી બને.
આ પહેલા ગત શુક્રવારે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નિર્મલા સીતારમણે કોર્પોરેટ સેક્ટર માટે મોટા એલાન કર્યા. આ દરમિયાન એમણે કહ્યું કે, ઘરેલૂ કંપનીઓ પર કોઇપણ પ્રકારની છુટ વિના ઇનકમ ટેક્સ 22 ટકા લાગશે. તેમા સરચાર્જ અને સેસ જોડ્યા બાદ કંપનીને 25.17 ટકા ટેક્સ આપવો પડશે. તેનો ફાયદો દેશની એ મોટી કંપનીઓને મળશે જે 30 ટકાના કોર્પોરેટ ટેક્સ સ્લેબમાં આવે છે.