સોમવતી અમાસના દિવસે પિતૃઓને પ્રસાદ અને દાન કરવામાં આવે છે. સાથે જ જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે કેટલાક ઉપાય કરવાથી કાલસર્પ દોષ અને પિતૃ દોષથી મુક્તિ મળે છે.
સોમવતી અમાસનું પોતાનું જ અલગ મહત્વ છે
સોમવતી અમાસ પર ખાસ કરો આ ઉપાય
કાલસર્પ દોષ અને પિતૃ દોષમાંથી મળશે મુક્તિ
હિન્દુ ધર્મમાં અમાસની તિથિનું વિશેષ મહત્વ છે. જણાવી દઈએ કે વર્ષ 2023 માં પહેલી સોમવતી અમાસ 20 ફેબ્રુઆરી 2023 એટલે કે આવતીકાલે ઉજવવામાં આવશે. ફાગણ મહિનાની અમાસ દિવસે આ વખતે સોમવાર હોવાથી તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. સોમવતી અમાસનું પોતાનું જ અલગ મહત્વ છે અને આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન વગેરેનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ સાથે જ સોમવતી અમાસના દિવસે પિતૃઓને પ્રસાદ અને દાન કરવામાં આવે છે. સાથે જ જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે સોમવતી અમાસના દિવસે કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિને કાલસર્પ દોષ અને પિતૃ દોષથી મુક્તિ મળે છે.
એવી માન્યતા છે કે સોમવતી અમાસની તિથિએ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી ભક્તોને તેમના આશીર્વાદ મળે છે. કાલસર્પ દોષ અને પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા સાથે સાથે આ ઉપાયોથી વ્યક્તિને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ આ દિવસે કયા ઉપાય કરવાથી ફાયદો થાય છે.
પિતૃ દોષથી મુક્તિ મેળવવાના ઉપાય
જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવતી અમાસ પર પીપળના ઝાડના મૂળમાં પાણી અને દૂધ ચઢાવવું જોઈએ, આ પછી પાંચ પ્રકારની મીઠાઈઓ પણ ચઢાવીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ. સાથે જ ત્યાં પવિત્ર દોરો ચઢાવીને દીવો પ્રગટાવવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતી વખતે પીપળના ઝાડ પાસે ઓછામાં ઓછી 108 પરિક્રમા કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે.
પિતૃ દોષની અસર ઘટાડવાના ઉપાય
જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પિતૃ દોષના અશુભ પ્રભાવને ઘટાડવા માટે સોમવતી અમાસના દિવસે દક્ષિણ દિશામાં અગરબતી કરો અને કેસરથી ભરપૂર ખીર ચઢાવો. આ સાથે જ જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલો માટે પિતૃઓ પાસે માફી માગો. કહેવામાં આવે છે કે આમ કરવાથી પિતૃદોષની અસર ઓછી થાય છે અને શુભ ફળ મળે છે.
કાલસર્પ દોષથી મુક્તિ મેળવવાનો ઉપાય
કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરો અને રૂદ્રાભિષેક કરવી જોઈએ, એ બાદ કોઈ તીર્થસ્થાન પર જઈને ચાંદીના નાગ-નાગિનીની પૂજા કરવી જોઈએ અને પછી તેને નદીમાં પ્રવાહિત કરી દેવ જોઈએ. કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિને ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે.
આર્થિક સ્થિતિ સુધારવા કરો આ ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જીવનમાં આર્થિક સમૃદ્ધિ મેળવવ પીપળના પાન પર પાંચ રંગની મીઠાઈઓ મૂકીને પીપળના ઝાડ પાસે રાખો. આ પછી પિતૃઓનું ધ્યાન કરો. એ બાદ પીપળા પર ચઢાવવામાં આવેલ આ પ્રસાદને ગરીબ અથવા બ્રાહ્મણને આપો અને બાળકોમાં વહેંચી દેવી જોઈએ.