ગયા વર્ષે કોંગ્રેસ છોડીને આવેલા અમરિન્દર સિંહ ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા, પૂર્વ મુખ્યમંત્રી હાલ પીઠની સર્જરી માટે લંડનમાં
પૂર્વ મુખ્યમંત્રી હાલ પીઠની સર્જરી માટે લંડનમાં
નરેન્દ્ર મોદીએ રવિવારે કેપ્ટન સાથે સર્જરી બાદ વાત કરી હતી
તો શુ હવે પંજાબ લોક કોંગ્રેસ પાર્ટી ભાજપમાં વિલીન થશે ?
મહારાષ્ટ્ર બાદ હવે પંજાબમાં ભારતીય જનતા પાર્ટી મોટો દાવ રમવા જઈ રહી છે. ગયા વર્ષે કોંગ્રેસ છોડીને આવેલા અમરિન્દર સિંહ ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. જોકે 89 વર્ષીય પૂર્વ મુખ્યમંત્રી હાલ પીઠની સર્જરી માટે લંડનમાં છે. આગામી સપ્તાહે તે ભારત પરત ફરે તેવી શક્યતા છે.
પંજાબ લોક કોંગ્રેસ પાર્ટી ભાજપમાં વિલીન થશે ?
પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહ આવતા અઠવાડિયે લંડન પરત ફર્યા બાદ તેઓ પોતાની ‘પંજાબ લોક કોંગ્રેસ’ પાર્ટીને ભાજપમાં વિલીન કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અમરિન્દર સિંહ સાથે તેમની સર્જરી બાદ વાત કરી હતી. "કેપ્ટન" તરીકે પણ ઓળખાતા અમરિન્દર સિંહે ગયા વર્ષે મુખ્ય પ્રધાન તરીકે બદલી કર્યા પછી કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. કેપ્ટન અમરિંદર સિંહ પાંચ દાયકા સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા.
નેતૃત્વ દ્વારા મારુ 3 વખત અપમાન થયું: અમરીન્દર સિંહ
કેપ્ટન અમરિંદર સિંહે પાર્ટીના નેતા સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યું કે નેતૃત્વ દ્વારા તેમનું ત્રણ વખત અપમાન થયું અને હવે તે સહન કરી શકશે નહીં. 89 વર્ષીય અમરિંદર સિંહે તે સમયે ચેતવણી આપી હતી કે તેમની પાસે હજુ પણ રાજકારણ બાકી છે અને તેમનું રાજકારણ હજુ ડૂબી ગયું નથી.
કેપ્ટન અમરીન્દર સિંહ ત્રણ વખત પંજાબના મુખ્યમંત્રી રહ્યા
કેપ્ટન અમરીન્દર સિંહ ત્રણ-ત્રણ વખત પંજાબના મુખ્યમંત્રી રહ્યા હતા. તે દિવસોમાં તેમણે એ વાતનો ઇનકાર કર્યો હતો કે, તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં એ જ વલણ જોવા મળ્યું હતું કે, ઘણા અસંતુષ્ટ કોંગ્રેસી નેતાઓએ ભાજપમાં જોડાયા હતા. જોકે, કેપ્ટને પોતાની પાર્ટી શરૂ કરી હતી.
પંજાબ કોંગ્રેસના નેતાઓની ભાજપમાં એન્ટ્રી
વરિષ્ઠ કોંગ્રેસના નેતાઓ પક્ષ છોડીને પંજાબમાં ભાજપમાં જોડાયા હતા. જેમાં પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડનો પણ સમાવેશ થાય છે. પરંતુ અમરિંદર સિંહની પત્ની પ્રનીત કૌર પટિયાલાથી કોંગ્રેસના સાંસદ છે. તો વળી ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રનીત કૌરે ભાજપને તેમની પુત્રી જય ઈન્દર કૌરને તેમની લોકસભા બેઠક પરથી ઉતારવા વિનંતી કરી છે.