સામાન્ય પ્રવાસીઓની પ્રતિક્રિયા એવી હતી કે તમામ ઉપલબ્ધ સીટ માત્ર સાત દિવસમાં બુક કરી લેવાઇ હતી. શ્રી રામાયણ એક્સપ્રેસ 28 માર્ચથી શરુ થશે. ઇચ્છુક પર્યટકો દિલ્હીથી સફદરજંગ, ગાઝિયાબાગ, મુરાદાબાદ, બરેલી અને લખનઉથી ટ્રેનમાં ચઢી શકે છે. આ ટ્રેનની 16 રાત અને 17 દિવસની યાત્રામાં યાત્રીઓ ભગવાન રામ સાથે જોડાયેલા તમામ પર્યટન સ્થળોની મુલાકાત લેશે. તેને ભારતની રામાયણ સર્કિટ પણ કહેવાય છે.
28 માર્ચથી ચાલશે શ્રી રામાયણ એક્સપ્રેસ
ભગવાન રામ સાથે જોડાયેલા સ્થળોના દર્શનનો લાભ લો
આઇઆરસીટીસીએ આ જાણકારી આપી હતી
ભગવાન રામ સાથે જોડાયેલા સ્થળોની તીર્થ યાત્રા પર જવા ઇચ્છતા લોકો માટે રેલ્વે 28 માર્ચથી વિશેષ પર્યટક ટ્રેન ચલાવશે. આઇઆરસીટીસીએ આ જાણકારી આપી હતી. શ્રી રામાયણ એક્સપ્રેસમાં 10 કોચ હશે જેમાં પાંચ સ્લીપર ક્લાસના નોન એસી કોચ અને પાંચ એસીના થ્રી ટાયર કોચ હશે. આઇઆરસીટીસી અનુસાર બુકિંગ વહેલા તે પહેલાના ધોરણે હશે. આ યોજના હેઠળ એક આવીજ પર્યટક ટ્રેન ગયા વર્ષે માત્ર સ્લીપરમાં શરુ કરાઇ હતી. જેને જબરજસ્ત સફળતા મળી હતી.
સામાન્ય પ્રવાસીઓની પ્રતિક્રિયા એવી હતી કે તમામ ઉપલબ્ધ સીટ માત્ર સાત દિવસમાં બુક કરી લેવાઇ હતી. શ્રી રામાયણ એક્સપ્રેસ 28 માર્ચથી શરુ થશે. ઇચ્છુક પર્યટકો દિલ્હીથી સફદરજંગ, ગાઝિયાબાગ, મુરાદાબાદ, બરેલી અને લખનઉથી ટ્રેનમાં ચઢી શકે છે. આ ટ્રેનની 16 રાત અને 17 દિવસની યાત્રામાં યાત્રીઓ ભગવાન રામ સાથે જોડાયેલા તમામ પર્યટન સ્થળોની મુલાકાત લેશે. તેને ભારતની રામાયણ સર્કિટ પણ કહેવાય છે.
આ યાત્રામાં અયોધ્યામાં રામ જન્મભુમી, હનુમાન ગઢી, નંદીગ્રામમાં ભારતમંદિર, બિહારમાં સીતા માતા મંદિર, જનકપુર (નેપાળ), વારાસણીમાં તુલસી માનસ મંદિર અને સંકટ મોચન મંદિર, સીતામઢી(ઉત્તરપ્રદેશ), પ્રયાગમાં ત્રિવેણી સંગમ, હનુમાન મંદિર અને ભારદ્વાજ આશ્રમ, શ્રૃંગવેરપુરમાં શ્રૃંગી મંદિર, ચિત્રકુટમાં રામઘાટ, સતી અનસુયા મંદિર, નાસિકમાં પંચવટી, હંપીમા અંજનાદ્રી હિલ અને રામેશ્વરમાં જ્યોતિર્લિંગ શિવ મંદિર સામેલ છે.
ઇચ્છુક પર્યટકો 16,065 રુપિયા પ્રતિ વ્યક્તિની કિંમત પર સ્લીપર શ્રેણી પેકેજનો વિકલ્પ પસંદ કરી શકે છે, જ્યારે એસી માટે પ્રતિ વ્યકિત 26,775 રુપિયા આપવા પડશે. આ ઉપરાંત ભારતીય રામાયણ સર્કિટ સાથે શ્રીલંકાના રામાયણ સર્કિટના પર્યટન સ્થળોની યાત્રા કરવા માટે સીમિત 40 બેઠકો સાથે શ્રીલંકામાં એક વધારાની યાત્રાની યોજના પણ શરુ કરાઇ છે. આ બંને સર્કિટોમા યાત્રા કરવા માટે ચેન્નાઇમાં 11 એપ્રિલથી રામાયણ એક્સપ્રેસ ટુરિસ્ટ ટ્રેનથી ઉતરીને શ્રીલંકાઇ એરલાઇન્સમાં ઇકોનોમી ક્લાસમાં કોલંબો લઇ જવાશે.
પર્યટકોને શ્રીલંકામા કેન્ડી, નુવારા એલિયા અને નેગોમબોમાં ત્રણ રાત રહેવાની વ્યવસ્થા કરાશે. આ શ્રીલંકાઇ યાત્રા માટે પ્રતિ વ્યક્તિ 37,800 રુપિયા વધારાની કિંમત વસુલાશે. પાછા આવવાની યાત્રઆ વ્યવસ્થા કોલંબોથી દિલ્હીના ઇકોનોમી ક્લાસમાં કરાશે. આઇઆરસીટીસીએ કહ્યુ કે પર્યટકો 15 એપ્રિલે દિલ્હી પહોંચશે.