સુપ્રીમ કોર્ટમાં આવતીકાલથી મહત્વના કેસોની સુનાવણી હાથ ધરાશે. છ અઠવાડિયાની રજાઓ બાદ આવતીકાલથી સુપ્રીમ કોર્ટમાં ફરીથી મહત્વના કેસોની સુનાવણી હાથ ધરાશે. અયોધ્યા રામ મંદિર અને રાફેલ જેવા મહત્વના કેસોની પણ સુનાવણી હાથ ધરાશે.
આ ઉપારાંત સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીના ચોકીદાર ચોર હૈની ટિપ્પણીને લઈને પણ સુનાવણી હાથ ધરાશે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 31 જજ એક સાથે તેમના કામની શરૂઆત કરશે. સુપ્રીમ કોર્ટમાં રાફેલ લડાકૂ વિમાનને લઈને કેસ ચાલી રહ્યો છે ત્યારે રાફેલ લડાકૂ વિમાનને લઈને સુપ્રીમ કોર્ટ બીજી વખત જલ્દી નિર્ણય સંભળાવી શકે છે.