ઈન્દોર ટેસ્ટ પહેલા કેએલ રાહુલ તેની પત્ની આથિયા શેટ્ટી સાથે ભસ્મ આરતી માટે મહાકાલ મંદિર પહોંચ્યા હતા અને હવે અક્ષર પટેલ તેની પત્ની મેહા પટેલ સાથે મહાકાલની શરણમાં પંહોચી ગયા છે.
અક્ષર પટેલ તેની પત્ની મેહા પટેલ સાથે મહાકાલની શરણમાં પંહોચ્યાં
અક્ષર પટેલ બાબા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા
કેએલ રાહુલ તેની પત્ની સાથે ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચ્યા હતા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે. ઈન્દોર ટેસ્ટ પહેલા કેએલ રાહુલ તેની પત્ની આથિયા શેટ્ટી સાથે ભસ્મ આરતી માટે મહાકાલ મંદિર પહોંચ્યા હતા અને હવે અક્ષર પટેલ તેની પત્ની મેહા પટેલ સાથે મહાકાલની શરણમાં પંહોચી ગયા છે. આ સાથે જ અક્ષર પટેલ તેની પત્ની મેહા પટેલે ભસ્મ આરતીમાં ભાગ લઈને બાબા મહાકાલના દર્શન કર્યા હતા.
उज्जैन (मध्य प्रदेश): भारतीय क्रिकेटर अक्षर पटेल ने पत्नी मेहा के साथ महाकाल मंदिर में भस्म आरती में हिस्सा लिया।
उन्होंने कहा, "भस्म आरती में हिस्सा लेकर बहुत अच्छा लगा। मैं 5 साल पहले भी आया था लेकिन भस्म आरती में हिस्सा नहीं ले पाया था लेकिन अब शादी के बाद हम यहां आए हैं।" pic.twitter.com/ZSDMB1Rnzy
અક્ષર પટેલ બાબા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા
આજે પત્ની સાથે મહાકાલના દર્શન કર્યા બાદ અક્ષર પટેલે જણાવ્યું હતું કે તેમની ઘણા સમયથી હતી કે તેઓ આવીને બાબા મહાકાલના દર્શન કરે અને હવે તેની ઈચ્છા હવે પૂરી થઈ છે. જણાવી દઈએ કે લગ્ન બાદ આ કપલ પહેલીવાર બાબા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા. બંનેએ લગભગ 2 કલાક સુધી મહાકાલ મંદિરના નંદી હોલમાં બેસીને સવારે થનારી ભસ્મ આરતીના દર્શનનો લાભ લીધો હતો. આ સાથે જ મહાકાલ મંદિરમાં પૂજા અને અભિષેક કરાવ્યો હતો.
કેએલ રાહુલ તેની પત્ની સાથે ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચ્યા હતા
જણાવી દઈએ કે અક્ષર પટેલના એક દિવસ પહેલા કેએલ રાહુલ તેની પત્ની સાથે ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચ્યા હતા. સતત પોતાના ખરાબ ફોર્મના કારણે આલોચનાનો શિકાર બનેલા ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ પોતાની પત્ની આથિયા શેટ્ટી સાથે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં પહોંચી બાબા મહાકાલના દર્શન કર્યા હતા. એક રિપોર્ટ અનુસાર કેએલ રાહુલ પાસેથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બાકીની 2 ટેસ્ટ મેચોની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે અને તેની જગ્યા એ ટીમમાં શુભમન ગિલને તક આપવાની પણ ચર્ચા થઈ રહી છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં રોહિત શર્મા સાથે કોણ ઓપનિંગ કરશે તે જોવાનું રહેશે.
भारतीय क्रिकेट टीम के आलराउंडर खिलाड़ी अक्षर पटेल ने पत्नी मेहा संग #उज्जैन पहुंचकर किए #महाकालेश्वर के दर्शन,भस्म आरती में शामिल होकर भगवान #महाकाल का लिया आशीर्वाद.
મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કર્યો હતો રાહુલનો બચાવ
દિલ્હી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને મળેલી શાનદાર જીત બાદ જ્યારે મુખ્ય કોચ રાહુલ દ્રવિડને કેએલ રાહુલના ફોર્મને લઈને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે તેનો બચાવ કરતા કહ્યું હતું કે અમે કેએલને બેક કરવાનું ચાલુ રાખીશું. આ એક એવો સમય છે જે દરેક ખેલાડીના જીવનમાં આવે છે. તેણે આપણા માટે વિદેશ પ્રવાસ દરમિયાન ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં સદી જોવા મળી હતી. મને વિશ્વાસ છે કે રાહુલ પાસે આ ખરાબ ફોર્મમાંથી બહાર આવવા માટે એક સારો ક્લાસ અને ક્વોલિટી છે.