સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધુ એક કોંગ્રેસ નેતાએ એ આપ્યું રાજીનામું. દિનેશ ચોવટિયા પાર્ટીમાં અવગણનાને લઈ રાજીનામું આપ્યાની ચર્ચા છે.
રાજકોટ કોંગ્રેસ નેતા દિનેશ ચોવટીયાનું રાજીનામું
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ચોવટીયાનું રાજીનામું
દિનેશ ચોવટીયાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
રાજકોટ કોંગ્રેસના નેતા દિનેશ ચોવટિયાએ પણ રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસમાં એક પછી એક મોટા નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન પહેલા દિનેશ ચોવટિયાએ પણ રાજીનામું ધરી દીધું છે. પાર્ટીમાં અવગણનાને લઈ રાજીનામું આપ્યાની ચર્ચા છે. દિનેશ ચોવટીયા રાજકોટની 70 વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડ્યા હતા. આ સાથે ચોવટિયા રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે.
વિરમગામ કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ
વિરમગામ કોંગ્રેસમાં પણ ભડકો થયો છે. ટિકિટ ફાળવણી બાદ કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. વિરમગામ શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું છે. સુધીર રાવલે ધારાસભ્ય લાખા ભરવાડ પર આક્ષેપ કર્યા છે. વિરમગામ પાલિકાના પૂર્વ પ્રમુખ રણજીતસિંહ ડોડીયાએ પણ આપ્યું રાજીનામું આપી દીધું છે. ધારાસભ્ય લાખાભાઇ ભરવાડની ખોટી દરમિયાનગીરીથી ભડકો થયાનો આક્ષેપ છે.
મહત્વનું છે કે, ગઈકાલે વિસનગરના કોંગ્રેસી નેતા કિરીટ પટેલે પણ રાજીનામું ધરી દીધું છે. કિરીટ પટેલ એક સમયે સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. કિરીટ પટેલે પણ સેન્સની પ્રક્રિયામાં તેમની અવગણના થઈ હોવાના આક્ષેપ સાથે રાજીનામું ધરી દીધું છે. તો આ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ધારાસભ્ય પદ પરથી રાજીનામું ધરી દીધું છે. જો કે, કોંગ્રેસે તેમના રાજીનામાને સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો હતો.
એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ નારાજ થઈ રહ્યા છે. અને રાજીનામા ધરી રહ્યા છે.