કેરળ, પંજાબ બાદ હવે આજે પ.બંગાળ વિધાનસભામાં પણ નાગરિકતા સુધારા કાયદો (CAA) વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ થશે. પ.બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી સીએએની વિરુદ્ધ છે અને તેઓ આજે પ.બંગાળ વિધાનસભામાં સીએએસ વિરુદ્ધ પ્રસ્તાવ લાવશે.
મમતા બેનર્જી CAAની વિરુદ્ધ છે
પ.બંગાળની વિધાનસભામાં પણ નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરાશે
કેરળ, પંજાબ અને પ.બંગાળે CAAનો વિરોદ્ધ કર્યો છે
કેરળ, પંજાબ બાદ હવે આજે પ.બંગાળ વિધાનસભામાં પણ નાગરિકતા સુધારા કાયદો (CAA) વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ થશે. પ.બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી સીએએની વિરુદ્ધ છે અને તેઓ આજે પ.બંગાળ વિધાનસભામાં સીએએસ વિરુદ્ધ પ્રસ્તાવ લાવશે. પ.બંગાળ અગાઉ અન્ય રાજ્યોમાં પણ સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ પસાર થઇ ગયા છે. કેરળ, પંજાબ અને રાજસ્થાનમાં પણ સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ થઇ ચૂક્યા છે.
પ.બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, NPR, એનઆરસી અને સીએએ એકબીજા સાથે સંકળાયેલ છે અને તમામ રાજ્યોએ તેને ફગાવી દેવા માટે પ્રસ્તાવ પાસ કરવો જોઇએ. મમતા બેનરજી પહેલા જ કહી ચૂકયા છે કે પ.બંગાળની વિધાનસભામાં પણ નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરાશે.
મમતાએ હતું કે, હું તમામ રાજ્યોને NPRની કવાયતમાં સામેલ નહીં થવા આગ્રહ કરું છું. તેમણે ભાજપ શાષિત પૂર્વોત્તર રાજ્યો- ત્રિપુરા, આસામ, મણિપુર અને અરુણાચલને સીએએ લાગુ નહીં કરવા અને NPRની પ્રક્રિયામાં ભાગ નહીં લેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે તમામ રાજ્યોએ NPR પોતાના રાજ્યમાં લાગુ કરતાં પહેલાં ગહન અભ્યાસ કરવો જોઇએ.