સોમનાથમાં આગામી 14થી 24 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમ યોજાશે. જેમાં બંને રાજ્યો વચ્ચે સંસ્કૃતિનું આદાન-પ્રદાન થશે.
સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમનું ઉદ્ઘાટન
ગુજરાતમાં યોજાશે સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમ
કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા કરી હતી જાહેરાત
આજે સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ચેન્નઈમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમ યોજવામાં આવશે. કાર્યક્રમની કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી હતી. મનસુખ માંડવિયા વેબસાઈટ પણ લોન્ચ કરશે.
14થી 24 એપ્રિલ સુધી યોજાશે કાર્યક્રમ
સોમનાથમાં 10 દિવસ સુધી સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમ ચાલશે. સોમનાથમાં 14થી 24 એપ્રિલ સુધી આ કાર્યક્રમ યોજાશે. સૌરાષ્ટ્રમાંથી સ્થળાંતર કરીને તમિલનાડુમાં સ્થાયી થયેલા લોકોને સન્માનિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં બન્ને રાજ્યો વચ્ચે સંસ્કૃતિનું આદાન-પ્રદાન થશે.