રશિયાનાં રાષ્ટ્રપતિની તરફથી કહેવામાં આવ્યું છે કે જો યુક્રેન સંકટનો કોઇ ઉપાય શોધવામાં આવે છે તો તે વાતચીત કરવા માટે તૈયાર છે. આ પહેલા બાઇડને કહ્યું હતું કે યૂક્રેન સંકટનો એક જ ઉપાય છે કે રશિયા સૈનિકોને પાછા બોલાવી લે.
જો બાઇડન બાદ પુતિન થયાં વાતચીત માટે તૈયાર
યૂક્રેન સંકટ પર થઇ શકે છે ચર્ચા
રશિયાના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રીએ કર્યાં ખુલાસા
છેલ્લાં 9 મહિનાથી યૂક્રેનમાં ચાલી રહેલા મહાયુદ્ધને હવે વિરામ મળે તેવું લાગી રહ્યું છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઇડને ગુરૂવારે ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોની સાથે મુલાકાત બાદ કહ્યું હતું કે જો પુતિન યુદ્ધ રોકવા ઇચ્છે છે તો તે વાત કરવા માટે રાજી છે. હવે તેમની આ વાત પર ક્રેમલિનથી એટલે કે રશિયાથી પોઝિટીવ જવાબ આવ્યો છે. રશિયાનાં રાષ્ટ્રપતિએ કહ્યું કે જો યૂક્રેન સંકટનો કોઇ રસ્તો નિકળે છે તો તે વાતચીત કરવા માટે તૈયાર છે. આ પહેલાં બાઇડને કહ્યું હતું કે યૂક્રેન સંકટનો એક જ ઉપાય છે કે પુતિન પોતાના સૈનિકોને પાછાં બોલાવી લે.
રશિયાએ આપ્યો પોઝિટીવ જવાબ
ક્રેમલિનનાં પ્રવક્તા પેસ્કોવે કહ્યું કે પુતિન હંમેશા વાતચીત માટે તૈયાર રહ્યાં છે પરંતુ રશિયા યૂક્રેનથી પાછળ નહીં હટે. પેસ્કોવે કહ્યું કે અમારા રાષ્ટ્રપતિનું કહેવું છે કે તેમને યૂક્રેન પર અટેક કરવાનો કોઇ અફસોસ નથી. તેમણે કહ્યું કે પુતિન વાતચીત માટે તૈયાર છે જો રશિયાનાં હિતો તેનાથી પ્રભાવિત ન થતાં હોય. યૂક્રેન સાથેનાં યુદ્ધ વિષે કહ્યું કે પશ્ચિમી દેશોનાં વર્ચસ્વની જંગને પડકારવા માટે તેમને આ યુદ્ધનું પગલું ભરવું પડ્યું છે.
BBC News - Ukraine war: Biden prepared to meet Putin to end Russia's warhttps://t.co/8gjPLmT1ux
યૂક્રેનનો 20% હિસ્સો રશિયાના કબ્જામાં
તેમનું કહેવું છે કે 1992માં સોવિયત સંઘનાં વિઘટન બાદ જ પશ્ચિમી દેશો રશિયાની સુરક્ષા, સંપ્રભુતા અને અખંડતાની પડકારી રહ્યાં છે. તો યૂક્રેન અને પશ્ચિમી દેશોનું કહેવું છે કે પુતિન યુક્રેન પર હુમલાને કોઇ પણ પ્રકારે સાચું સાબિત નહીં કરી શકે. યૂક્રેનનું કહેવું છે કે રશિયાનાં છેલ્લાં સૈનિકને તેના વિસ્તારથી હટાવ્યાં સુધી જંગ ચાલુ રહેશે. યૂક્રેનનાં 5માં હિસ્સા પર રશિયાએ કબ્જો કરી લીધો છે. આ સિવાય ત્યાં જનમત સંગ્રહ કરી અને મર્જ કરવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે યૂક્રેન લગાતાર કહી રહ્યું છે કે અમને આ સ્વીકાર્ય નથી.
ભારત અને અમેરિકા પર રશિયાને શંકા
રશિયાએ ભારતને લઇને પણ અગત્યની ટિપ્પણી કરી હતી. રશિયાનાં વિદેશમંત્રી સેરગેઇ લાવરોવે કહ્યું કે નાટો દેશ ભારતને પણ પોતાના સાથે લાવવા ઇચ્છે છે જેથી રશિયા, ચીનને ઘેરી શકે. લાવરોવે કહ્યું કે સાઉથ ચાઇના સી માં વારંવાર અમેરિકા અને નાટો દેશ વિવાદો ઊભા કરી રહ્યાં છે. તેમનાં પ્રયાસો છે કે તેનાથી રશિયા અને ચીનને ઘેરી શકાશે.